'અમે જ સરકારને લોકોને વિદેશથી પાછા લાવવા માટે કહ્યું હતું'

સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવનારી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 6 જૂન સુધી વચ્ચેની સીટમાં લોકોને બેસવા માટે મંજૂરી આપતા પોતાના જૂના આદેશમાં ફેરફાર કરવાનો ઈન્કાર કરી દીધો. 
'અમે જ સરકારને લોકોને વિદેશથી પાછા લાવવા માટે કહ્યું હતું'

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવનારી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 6 જૂન સુધી વચ્ચેની સીટમાં લોકોને બેસવા માટે મંજૂરી આપતા પોતાના જૂના આદેશમાં ફેરફાર કરવાનો ઈન્કાર કરી દીધો. 

સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યું કે તમારે જે કહેવું હોય તે આ મામલે થનારી સુનાવણીમાં 2 જૂનના રોજ બોમ્બે હાઈકોર્ટમાં કહેજો. DGCAએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે એક કમિટી આ વિષય પર વિચાર કરી રહી છે. અમે હાઈકોર્ટને તે અંગે જાણકારી આપીશું. 

જુઓ LIVE TV

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે અમે જ સરકારને લોકોને વિદેશથી પાછા લાવવાનું કહ્યું હતું. હવે તેમનાથી જે ભૂલ થઈ ગઈ છે તેને થોડા દિવસ ચલાવવી જરૂરી છે નહીં તો લોકોની પરેશાનીઓ હજુ વધી જશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news