ભારતથી દુબઈ જવાનો થાય છે કેટલો ખર્ચ? વિઝા સંબંધિત આ મહત્વની ટિપ્સ ના ભૂલતા

શું તમે પણ દુબઈ જવાનો પ્લાન બનાવી રહ્યાં છો? દુબઈ જવાનો વિચાર હોય તો આટલી વાતો ખાસ ધ્યાનમાં રાખજો. નહીં તો ત્યાં પહોંચી નહીં શકો. જો તમે અહીં જણાવેલી બાબતોનું ધ્યાન નહીં રાખો તો દુબઈ પહોંચીને પણ તમારે હેરાન થવાનો વારો આવશે.

ભારતથી દુબઈ જવાનો થાય છે કેટલો ખર્ચ? વિઝા સંબંધિત આ મહત્વની ટિપ્સ ના ભૂલતા

નવી દિલ્લીઃ ભારતીય લોકોમાં દુબઈ જવાનો એક અલગ જ ઉત્સાહ છે. કેટલાક લોકો ફરવા જાય છે અને કેટલાક લોકો કમાવા જાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુબઈ ક્યાં છે અથવા દુબઈ કયા દેશમાં છે? જો નહીં, તો જાણી લો કે અરબી રણની મધ્યમાં આવેલું દુબઈ સંયુક્ત આરબ અમીરાત (UAE)નું એક વૈભવી અને માલેતુજાર શહેર છે. વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પણ અહીં આવેલી છે. જો તમે પણ આ અદ્ભુત શહેરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ, તો ચાલો જાણીએ કે દુબઈ જવા માટે વિઝા કેવી રીતે મેળવવો, દુબઈના વિઝાનો કેટલો ખર્ચ થાય છે, દુબઈ જવા માટે શું જરૂરી છે વગેરે.

દુબઈ કેવી રીતે જવું?
ભારતમાંથી દુબઈ જવા માટે હવાઈ મુસાફરી એ શ્રેષ્ઠ માર્ગ છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખૂબ મોટું એરપોર્ટ છે અને UAEનું સૌથી વ્યસ્ત એરપોર્ટ પણ છે, જ્યાં મુસાફરો માટે ઘણી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ભારતથી તમે દુબઈની સીધી ફ્લાઈટ લઈ શકો છો. દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ વગેરે જેવા ઘણા ભારતીય શહેરોથી દુબઈની સીધી ફ્લાઈટ્સ છે. ભારતથી દુબઈનું અંતર અંદાજે 2,500 કિમી છે. 

દુબઈ જવા માટે વિઝા કેવી રીતે મેળવશો?
દુબઈના વિઝા મેળવવા માટે, તમે વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તમારે દુબઈ વિઝાની વેબસાઈટ પર એક ફોર્મ ભરવાનું રહેશે અને તમે બે કલાકમાં વિઝા મેળવી શકશો. આ માટે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે કે તમારે કયા વિઝાની જરૂર છે, ટૂરિસ્ટ વિઝા, વિઝિટર વિઝા, ટ્રાન્ઝિટ વિઝા વગેરે.

દુબઈ વિઝા માટે કયા દસ્તાવેજોની જરૂર છે?
દુબઈ વિઝા માટે તમારી પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છે. જો કે, આ દસ્તાવેજ બહુ લાંબો નથી, અહીં તમે જોઈ શકો છો:-

પાસપોર્ટની માન્યતા ઓછામાં ઓછી 6 મહિનાની હોવી જોઈએ.
સફેદ બેકગ્રાઉન્ડ સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો
ફ્લાઇટ ટિકિટ અને હોટેલ બુકિંગનો પુરાવો.
પ્રવાસ વિશે વિગતો.
સરનામાનો પુરાવો.

દુબઈ વિઝા માટે અરજી કરતા પહેલા, ખાતરી કરો કે તમે વિઝાના તમામ માપદંડોને પૂર્ણ કરો છો. તે પછી અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો જોડો અને ફી જમા કરો. દુબઈ માટે ઇ-વિઝા પ્રસ્થાન પહેલાં મેળવી શકાય છે. પ્રવાસીઓ પાસે પ્રિન્ટેડ ઈ-વિઝા કન્ફર્મેશન હોવું આવશ્યક છે.

દુબઈ વિઝાની કિંમત કેટલી છે?
ભારતીય નાગરિકોએ દુબઈ જવા માટે વિઝા ફી ચૂકવવી પડે છે. ભારતીયો માટે દુબઈ વિઝા ફી રૂ. 6,000 થી રૂ. 7,000 ની વચ્ચે છે. તમને જણાવી દઈએ કે દુબઈ માટે વિઝા ફી એક નિશ્ચિત સમયગાળા માટે છે, જો તમે તે નિર્ધારિત સમયગાળાથી વધુ રહેવા માંગતા હોવ તો તમારે વધુ વિઝા ફી ચૂકવવી પડશે.

ભારતથી દુબઈ જવા માટે કેટલો ખર્ચ થાય છે?
જો આપણે ભારતમાંથી દુબઈ જવાના ખર્ચની વાત કરીએ તો એકંદરે પ્રવાસી મુલાકાતી તરીકે તમારું રાઉન્ડ-ટ્રીપનું ભાડું 25,000 રૂપિયાની આસપાસ હશે. આ તમારા હવાઈ ભાડા પર પણ આધાર રાખે છે. આ સિવાય દુબઈ ટૂરિસ્ટ વિઝા માટે તમને 6,000 થી 7,000 રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. તમારા પ્રવાસ વીમા માટે રૂ. 1,000 વસૂલવામાં આવી શકે છે. આ બધા સિવાય તમારે દુબઈની આસપાસ ફરવા જેવા કે હોટેલ, ટ્રાન્સપોર્ટેશન, ફૂડ અને શોપિંગના ખર્ચને કવર કરવો પડશે. એકંદરે, આ તમામ ખર્ચાઓને પહોંચી વળવા માટે, તમારી પાસે ઓછામાં ઓછી રૂ. 68,000 થી મહત્તમ રકમ હોવી જોઈએ.

દુબઈના વિઝા કેટલા પ્રકારના છે?
સંયુક્ત આરબ અમીરાતનું (UAE) સૌથી મોટું અને સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર દુબઈ છે. દુનિયાભરમાંથી લોકો અહીં કામ અને મુસાફરી માટે આવે છે. દુબઈ મુસાફરીના આધારે નીચેના પ્રકારના વિઝા ઓફર કરે છે, જ્યાં તમે તમારી મુસાફરીના આધારે તમારા વિઝાની યોજના બનાવી શકો છો.

48 કલાકના વિઝા
96 કલાકના વિઝા
14 દિવસનો સિંગલ એન્ટ્રી શોર્ટ ટર્મ વિઝા
30 દિવસનો સિંગલ એન્ટ્રી શોર્ટ ટર્મ વિઝા
90 દિવસના વિઝીટર વિઝા
મલ્ટી એન્ટ્રી લોંગ ટર્મ વિઝા

ટૂરિસ્ટ વિઝા - આ વિઝાનો ઉપયોગ માત્ર મુસાફરી માટે થાય છે. દુબઈ માટે પ્રવાસી વિઝા 30 દિવસ માટે જારી કરવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે તમે દેશ છોડ્યા વિના વધારાના 30 દિવસ અને 90 દિવસ માટે વિઝા એક્સટેન્શન માટે અરજી કરી શકો છો.

ટ્રાન્ઝિટ વિઝા - આ વિઝા મહત્તમ 15 દિવસ માટે માન્ય છે. જ્યારે કોઈ વ્યક્તિ બીજા દેશની કનેક્ટિંગ ફ્લાઈટ ધરાવે છે, અથવા જ્યારે કોઈને ત્રીજા દેશમાંથી પરિવહન કરવું હોય ત્યારે તે જારી કરવામાં આવે છે.

ગોલ્ડન વિઝા - ગોલ્ડન વિઝા તમને યુએઈમાં 5 થી 10 વર્ષ સુધી રહેવાની પરમિટ આપે છે. તે મુખ્યત્વે વિદ્યાર્થીઓ, ડોકટરો, વૈજ્ઞાનિકો વગેરે જેવા વિદેશીઓને અહીં રહેવા, કામ કરવા અને સંશોધન કરવા સક્ષમ બનાવે છે.

એક સમસ્યા એ છે કે, સામાન ચોરાઈ જાય, વિઝા-પાસપોર્ટ ભુલાઈ જાય, ફ્લાઈટ મિસ થઈ જાય, અકસ્માત થાય વગેરે જેવી કોઈ પરિસ્થિતિમાં તમે ફસાઈ જાવ તો આવા કિસ્સામાં શું કરશો? આવી સ્થિતિમાં તમારા માટે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news