10 july news News

ઉઘડતા પ્રભાતે હરિભક્તો માટે શોકમગ્ન સમાચાર, મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પૂ.પુ
Jul 16,2020, 7:52 AM IST
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની આજે બપોરે 3 વાગે સરકાર યોજાનારી બેઠક પર સૌની નજર
શિક્ષિત બેરોજગારોની અટકી પડેલી ભરતી પ્રક્રિયા સંદર્ભે આજે મહત્વની બેઠક ગાંધીનગરમાં યોજાશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્યો સાથે બેઠક યોજાશે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ આ બેઠકમાં હાજરી આપશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચેમ્બરમાં બપોરે ત્રણ વાગ્યે બેઠક યોજાશે. જેમાં દિનેશ બામણીયા, યુવરાજસિંહ જાડેજા, પૂર્વી પટેલ, પ્રવિણ રામ, નીરવ જોષી, કમલેશ સોલંકી અને શરદ સાધુ સહિત લોકો સરકાર સાથે બેઠક કરશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં યોજાનારી બેઠકમાં સંકલન સમિતિના સભ્યોએ પોતાની કોર કમિટી નક્કી કરી છે. 
Jul 10,2020, 11:59 AM IST
મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાના મોતના આંકડા પર ઢાંકપિછોડો કરાયો
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અને મૃત્યુ આંક વધતા જતા વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લા ની આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી થતા મૃત્યુ આંક અખબારી યાદીમાં જાહેર કરવા બંધ કરી દીધું છે. છેલ્લા બે દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા જે અખબારી યાદી જાહેર કરવામા આવે તેમાં માત્ર કોરોના પોઝિટિવ કેસની યાદી જ આપવામાં આવે છે અને મૃત્યુ આંક જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યું છે. થોડા દિવસ પૂર્વે રાજકોટ મનપાએ જાહેર કરેલ મોતના આંકડા રાજ્ય સરકારની અખબારી યાદીમાં 3 દિવસ બાદ અપડેટ થયા હતા, જેને લઇ મીડિયામાં અહેવાલ પ્રસારિત કરાયો હતો અને મૃત્યુ આંક છુપાવવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. 
Jul 10,2020, 11:13 AM IST
ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત કથળી, મુંબઈથી તબીબ બોલાવાયા
Jul 10,2020, 9:57 AM IST
હત્યારા અને ભાગેડુ પોલીસ કર્મચારીઓને શોધવા આકાશપાતાળ એક કરી રહી છે વડોદરા પોલીસ
વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આરોપીની હત્યાનો મામલામાં વધુ નામ ખૂલવાની શક્યતા છે. પીઆઈ, પીએસઆઇ સહિતના આરોપીઓએ રાતના અંધારામાં ખેલ પાડીને આરોપી વૃદ્ધ નિસાર શેખનો મૃતદેહ ક્યાં રફેદફે કર્યો તેનો ભેદ હજી ખૂલ્યો નથી. ફતેગંજ પોલીસ મથકમાંથી મોડી રાત્રે 12:30 વાગ્યે મૃતદેહ લઈ જવાયાની આશંકા સેવાઈ રહી છે. સ્ટેશન ડાયરીમાં નોંધ કરનાર pso વનરાજસિંહને આરોપી કેમ ના બનાવ્યો તે એક સવાલ છે. ડેડબોડીને સળગાવી પાણીમાં ફેંકી કે દાટી દીધી એવા અનકે સવાલોનો જવાબ હજી મળ્યો નથી. વડોદરા પોલીસ હજુ પણ અવઢવમાં છે. વડોદરા પોલીસે ફરાર થઈ ગયેલા સાત પોલીસ કર્મચારીઓને શોધવા માટે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ પોલીસની 3 ટીમો રવાના કરી છે.  ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પણ આરોપી પોલીસની શોધખોળ માટે લાગી ગઈ છે. 
Jul 10,2020, 9:38 AM IST

Trending news