જામનગર : પૂરના ધમસમતા પ્રવાહમાં તણાયેલી બાળકીનો મૃતદેહ ચાર દિવસ બાદ મળ્યો

જામનગરમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ વરસાદી પાણીએ ભારે તારાજી સર્જી હતી. 7 તારીખના રોજ જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં પુનિતનગરમાંથી એક અઢી વર્ષની બાળકી પરિવારથી વિખુટી પડીને પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગઇ હતી. છેલ્લા ચાર દિવસથી જામનગર ફાયર દ્વારા બાળકીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના બાદ આખરે આજે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. 
જામનગર : પૂરના ધમસમતા પ્રવાહમાં તણાયેલી બાળકીનો મૃતદેહ ચાર દિવસ બાદ મળ્યો

મુસ્તાક દલ/જામનગર :જામનગરમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ વરસાદી પાણીએ ભારે તારાજી સર્જી હતી. 7 તારીખના રોજ જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં પુનિતનગરમાંથી એક અઢી વર્ષની બાળકી પરિવારથી વિખુટી પડીને પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગઇ હતી. છેલ્લા ચાર દિવસથી જામનગર ફાયર દ્વારા બાળકીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના બાદ આખરે આજે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. 

આખરે કેવી રીતે તંત્રના નાક નીચે ગાંધીનગરમાં પાટોત્સવ યોજાયો? હજારોના ટોળાથી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા

બાળકી ચાર દિવસથી ગુમ હતી. જેથી આજે ફાયર દ્વારા એનડીઆરએફની મદદ લેવાઈ હતી. સતત ચાર દિવસની જહેમત બાદ જામનગર ફાયર અને NDRF ના સંયુકત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આખરે જામનગરના ગાંધીનગર સ્મશાન પાસે દરિયાઇ ખાડી વિસ્તારમાંથી પૂરમા તયાણેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે અઢી વર્ષની બાળકીનું મોત થતાં પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો. પરંતુ જામનગરમાં તાજેતરમાં પૂરની પરિસ્થિતિમાં ફાયર અને NDRFની ટીમ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

સુરત : કોવિડ હોસ્પિટલમાં એક્ઝિ. એન્જિનિયર પાંચમા માળેથી નીચે પટકાયા, મોત થયું  

સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકશાન થયું છે. સતત 3 દિવસ પડેલા ભારે વરસાદને પગલે સર્જાય પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના લખતર ગામે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. જોડિયા તાલુકામાં માત્ર 4 દિવસમાં મોસમનો 60% વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ઊંડ 2 ડેમના અધિકારીઓની બેદરકારી કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું હતું. વરસાદને પગલે યોગ્ય સમયે ડેમના દરવાજા ન ખોલતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે. કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા, વિક્રમ માડમ અને પ્રવિણ મૂછડીયા ખેડૂતોની વહારે આવીને પરિસ્થિતિને નિહાળવા પહોંચ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news