Farm house News

ગીર સોમનાથ: પતિ-પત્ની વાડીમાં એકલા હતા ત્યારે અચાનક એવું થયું કે...
જિલ્લાના રામપરા ગામની સીમમાં રાત્રીના અંધારામાં બની ચકચારી ઘટના બની હતી. વાડીએ મકાનના ઓરડામાં નિંદ્રાધીન પતિ પત્નીની કરપીણ હત્યા કુહાડીના ઘા મારી અજાણ્યા હત્યારાઓએ આધેડ દંપતીની નિર્મમ હત્યા કરી હતી. ડબલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારાઓની શોધખોળ આદરી છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ તાબાના રામપરા ગામમાં ચકચારી ઘટના બની છે. આ વાડીના ઓરડામાં ગત રાત્રે નિંદ્રાધીન દંપતીને ખબર નહિ હોય કે, સવારનો સૂરજ તેઓ જોઈ નહિ શકે. આ નિંદર તેમની જીવનની લાંબી નિંદરમાં પલટાઈ જશે. મધ્યરાત્રીએ કોઈ હત્યારાઓએ અતિ ક્રૂરતા પૂર્વક બંન્ને પતિ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
Mar 4,2020, 20:27 PM IST

Trending news