Vijay nehra News

AHMEDABAD: વિજય નેહરા પાસે સરકારે પદ તો ખાલી કરાવ્યું પરંતુ બંગલો ખાલી ન કરાવી શકી
અમદાવાદમાં ફરી એકવાર કોરોના ખુબ જ વકરી રહ્યો છે ત્યારે વકરતા કોરોનાને કાબુ નહી કરી શકવાનાં કથિત કારણોસર પોતાનું પદ ગુમાવનાર વિજય નેહરા (Vijay Nehra) ફરી કોરોના વકરી રહ્યો છે ત્યારે ચર્ચામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા કમિશ્રનર (Commissioner)ને ફાળવવામાં આવતો બંગલો વિજય નેહરા (Vijay Nehra)એ હજી સુધી છોડ્યો નથી. એટલે કે પદ છોડ્યું પણ પદ સાથે મળતી સવલતો નેહરા છોડવા માટે તૈયાર નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશ્રરને આ બંગલો ફાળવવામાં આવતો હોય છે. જો કે આ બંગલો પદ છોડ્યા પછી પણ વિજય નેહરા (Vijay Nehra) છોડવા માટે તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે. તેથી પદનો મોહ જેમ સરકારે (Government)  છોડાવ્યો તેમ બંગલો પણ હવે સરકાર (Government) ે જ દંડ દ્વારા છોડાવવો પડે તેવી સ્થિતી પેદા થઇ છે. 
Mar 19,2021, 16:46 PM IST
CM સાથેની બેઠક બાદ વિજય નેહરાનું આક્રમક ટ્વિટ, રાજકીય કિન્નાખોરીને ફરી પડકારી
રાજ્યમાં કોરોનાનાં કેસમાં કુદકેને ભુસકે વધારો થઇ રહ્યો છે. સરકાર આ મુદ્દે કામગીરી અંગે નાગરિકોમાં ભારે અસંતોષ છે. હાઇકોર્ટ પણ વારંવાર સરકાર અને અધિકારીઓને ટપારી રહી છે. તેવામાં સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી હેઠળ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી હોવાના મુદ્દા પણ સામે આવી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદનાં કમિશ્નર વિજય નેહરાની બદલી થતા નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા પર વિજય નેહરાનાં સમર્થનમાં આંદોલન ચલાવાયું હતું. જો કે આ તમામ વિવાદો વચ્ચે વિજય નેહરાએ પોતાનો નવો પદભાર ગ્રામવિકાસ સેક્રેટરી તરીકેનો પદભાર સંભાળી લીધો છે. તેમણે પોતાનો પદભાર સંભાળ્યો હોવાની માહિતી પણ ટ્વિટ દ્વારા આપી હતી. ત્યાર બાદ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મીટિંગ કરી હતી. આ મીટિંગ બાદ તેમણે ખુબ જ સુચક કવિતા ટ્વીટ કરી હતી. જેના પરથી  મીટિંગમાં થયેલી ચર્ચાઓનો ઘણા અંશે અંદાજ આવે છે. 
May 27,2020, 0:22 AM IST
વિજય નહેરા ફરીથી AMCમાં સત્તા પર આવી શકે છે, ગમે ત્યારે ચાર્જ સંભાળશે
અમદાવાદમાં AMC કમિશનર તરીકે વિજય નહેરા ફરી સત્તામાં આવી શકે છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોઈપણ સમયે વિજય નેહરા પોતાનો ચાર્જ સંભાળી શકે છે.  પણ ચાર્જમાં આવ્યા બાદ વિજય નેહરાની સત્તા ઉપરઅનેક નિયંત્રણ આવી શકે છે. સૂત્રો દ્વારા માહિતી મળ્યા અનુસાર, અગાઉ તેઓ તમામ નિર્ણય સ્વતંત્ર રીતે કરતા હતા. ત્યારે હવે તેઓને વર્તમાન acs રાજીવ ગુપ્તાના હાથ નીચે કરવું પડશે. વિજય નેહરાનું કામ હાલમાં મુકેશ કુમાર કામ કરી રહ્યા છે તે મુજબ જ નિયંત્રિત રહેશે. નેહરાની ભૂમિકા  કેવી રહેશે તે અંગે હજી જાણવા મળ્યું નથી. વિજય નેહરાની અગાઉની ભૂમિકામાં સરકાર મોટો ફેરફાર કરશે. 
May 13,2020, 12:51 PM IST
જલ્દી જ કામે પરત ફરશે વિજય નહેરા, કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ
અમદાવાદ (Ahmedabad) નાં તત્કાલિન કમિશ્નર વિજય નેહરા કોરોના પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હોવાનાં કારણે બે અઠવાડિયા માટે હોમ ક્વોરન્ટાઇન થવાની જાહેરાત કરાઈ હતી. જોકે, હવે વિજય નહેરાના સ્વાસ્થય મામલે પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. AMC કમિશનર વિજય નેહરા (Vijay Nehra)નો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. થોડા સમયમાં વિજય નેહરા ફરીથી કામ પર પરત ફરશે. રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતિ ખુદ વિજય નહેરાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કરી છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વિજય નેહરાનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં વાઇસ ચેરમેન અને સીઇઓ મુકેશ કુમારને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 
May 9,2020, 21:02 PM IST

Trending news