અમિતાભે હોસ્પિટલમાંથી અભિષેક, એશ્વર્યા અને આરાધ્યાની તસવીર સાથે ફેન્સ માટે લખ્યો મેસેજ

Amitabh Bachchan કોરોનાની સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેઓ ફેન્સની સાથે સતત સોશિયલ મીડિયા પર જોડાયેલા છે. તેમણે પરિવારનો ફોટો ટ્વીટ કરીને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. 

અમિતાભે હોસ્પિટલમાંથી અભિષેક, એશ્વર્યા અને આરાધ્યાની તસવીર સાથે ફેન્સ માટે લખ્યો મેસેજ

મુંબઈઃ અમિતાભ બચ્ચન કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ છે. તેમના ચાહકો બિગ બી માટે દુવાઓ કરી રહ્યાં છે. તો બચ્ચન પણ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે જોડાયેલા છે. તેમણે પાછલા સપ્તાહે કોરોના થવાની માહિતી આપી હતી. ત્યારબાદ તેમના પુત્ર અભિષેક બચ્ચન, વહુ એશ્વર્યા અને પૌત્રી આરાધ્યા પણ કોરોનાનો શિકાર બન્યા હતા. ત્યારબાદ અમિતાભ અને અભિષેક બચ્ચનની સાથે એશ્વર્યા અને આરાધ્યાએ પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. આ વચ્ચે લોકોની પણ ચિંતા વધી હતી. હવે અમિતાભે શનિવારે રાત્રે અભિષેક, એશ્વર્યા અને આરાધ્યાની સાથે તસવીર પોસ્ટ કરીને ફેન્સનો આભાર વ્યક્ત કર્યો છે. 

— Amitabh Bachchan (@SrBachchan) July 18, 2020

અમિતાભે ચાહકોનો માન્યો આભાર
અમિતાભ બચ્ચને લખ્યુ, અમે તમારો પ્રેમ જોઈ રહ્યા છીએ, અમે તમારી દુવાઓ સાંભળી રહ્યા છીીએ.... અમે આભારમાં હાથ જોડીએ છીએ અને થેંક યૂ કહીએ છીએ. મહત્વનું છે કે એશ્વર્યા અને આરાધ્યામાં કોઈ લક્ષણ ન હોવાને કારણે તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શ્વાસ લેવામાં મુશ્કેલીને કારણે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

સુશાંત આત્મહત્યા કેસ: કંગના રનૌતે ફરી આપ્યું એવું નિવેદન...મચ્યો ખળભળાટ

સારી છે પરિવારની સ્થિતિ
બચ્ચન પરિવારની સ્થિતિને લઈને ફેન્સ ચિંતા કરી રહ્યાં હતા. તેના પર સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યુ કે, તેમની સ્થિતિ સારી છે. ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news