અમદાવાદ શહેરમાં આજે 139 કેસ, 5 મૃત્યુ, 17 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર ઉમેરાયા

અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધી 27 હજાર 745 કેસ સામે આવ્યા છે. તો કોરોનાને કારણે અત્યાર સુધી 1631 લોકોના મૃત્યુ પણ થયા છે. 

 અમદાવાદ શહેરમાં આજે 139 કેસ, 5 મૃત્યુ, 17 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર ઉમેરાયા

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના વધુ 139 કેસ નોંધાયા છે. તો વધુ 5 દર્દીઓના મૃત્યુ પણ થયા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં સાજા થયા બાદ 103 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો સમગ્ર અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધી 27 હજાર 745 કેસ સામે આવ્યા છે. તો કોરોનાને કારણે અત્યાર સુધી 1631 લોકોના મૃત્યુ પણ થયા છે. અમદાવાદમાં સારવાર બાદ અત્યાર સુધી 22 હજાર 393 દર્દીઓ રિકવર થયા છે.

નવા કન્ટેઈન્મેન્ટ વિસ્તારની યાદી

અમદાવાદમાં માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની સ્થિતિ
અમદાવાદ શહેરમાં નવા 139 કેસ નોંધાવાની સાથે કોર્પોરેશને નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 17 વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો તો 17 વિસ્તારને બાદ કરવામાં આવ્યા છે. આમ હાલની સ્થિતિએ અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ વિસ્તારની સંખ્યા 254 છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news