સુરતમાં કોરોના વાયરસના નવા 59 કેસ નોંધાયા, 2 મૃત્યુ


સુરત જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સંક્રમિતોની સંખ્યા 2356 પર પહોંચી ગઈ છે. 

સુરતમાં કોરોના વાયરસના નવા 59 કેસ નોંધાયા, 2 મૃત્યુ

સુરતઃ સુરત જિલ્લામાં કોરોના વાયરસ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અહીં સંક્રમિતોની સંખ્યા દરરોજ વધતી જાય છે. આજે સુરતમાં વધુ 59 કેસ નોંધાયા છે. તો સારવાર દરમિયાન કુલ 2 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 2356 થઈ ગઈ છે. તો અત્યાર સુધી કુલ 87 લોકોના મૃત્યુ પણ થયા છે. સુરત ગુજરાતનું બીજુ સૌથી વધુ સંક્રમિત શહેર છે. 

સુરતમાં કોરોનાનો ભરડો
સુરતમાં દિવસેને દિવસે કેસોમાં વધારો થઈ રહ્યો છે. એક તરફ અનલોકની શરૂઆત બાદ પણ કેસોની સંખ્યા સતત વધી રહી છે. આજે કતારગામ અને સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. 

શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોના વાયરસના 20 હજાર 500થી વધુ કેસ નોંધાયા છે. તો અત્યાર સુધી કુલ 1280 લોકોના મૃત્યુ થયા છે. તો સારવાર બાદ આશરે 14 હજાર જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 14,631 જેટલા કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 1039 લોકોએ આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news