કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના પિતાનું 74 વર્ષની વયે નિધન

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા એટલેકે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના પિતા ધીરુભાઈ ધાનાણીનું 74 વર્ષને વયે અમરેલી ખાતે દુઃખદ નિધન અવસાન થયું છે. મળતી માહિતી પ્રમાણે ધીરૂભાઇ લાબા સમયથી બિમાર હતા. મંગળવારે 25 ડિસેમ્બરે મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું નિધન થયું હતું. 


 

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના પિતાનું 74 વર્ષની વયે નિધન

કેતન બગડા/અમરેલી: ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા એટલેકે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના પિતા ધીરુભાઈ ધાનાણીનું 74 વર્ષને વયે અમરેલી ખાતે દુઃખદ નિધન અવસાન થયું છે. મળતી માહિતી પ્રમાણે ધીરૂભાઇ લાબા સમયથી બિમાર હતા. મંગળવારે 25 ડિસેમ્બરે મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું નિધન થયું હતું. 

26 ડિસેમ્બરને બુધવારે વહેલી સવારે 9-00 વાગે અમરેલીના ગજેરાપરા નિવાસસ્થાને થી અંતિમયાત્રા નીકળશે. પરેશ ધાનાણી કોંગ્રેસના નેતા હોવાથી અનેક રાજકીય નેતાઓ તેમના પિતાની અંતિમ યાત્રામાં જોડાય તેવી શક્યતાઓ છે. પરેશ ધાનણીના નિવસસ્થાન અમરેલીના ગજેરાપર ખાતેથી તેમના પિતાની અંતિમ યાત્રા નિકળશે.

 

May the departed soul rest in peace. My thoughts & prayers with him and his family. 🙏

— Amit Chavda (@AmitChavdaINC) December 25, 2018

 

પરેશ ધાનાણીના પિતાનું નિધન થતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ટ્વિટ કરીને તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાથના કરી હતી. જ્યારે કોંગ્રેસના પ્રભારી રાજીન સાંતવે પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news