રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં થયેલી બદનક્ષીની ફરિયાદ મામલે આજે સુનવણી

રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં થયેલી બદનક્ષીની ફરિયાદ મામલે આજે સુનવણી હાથ ધરવામાં આવશે. રાહુલ ગાંધીએ આરોપ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધી દરમિયાન પાંચ દિવસમાં અમદાવાદમાં ADC બેંકમાં 745 કરોડની નોટ બદલવામાં આવી હતી. આવુ નિવેદન આપવા મામલે એડીસી બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી. 
રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં થયેલી બદનક્ષીની ફરિયાદ મામલે આજે સુનવણી

આશ્કા જાની/અમદાવાદ :રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં થયેલી બદનક્ષીની ફરિયાદ મામલે આજે સુનવણી હાથ ધરવામાં આવશે. રાહુલ ગાંધીએ આરોપ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધી દરમિયાન પાંચ દિવસમાં અમદાવાદમાં ADC બેંકમાં 745 કરોડની નોટ બદલવામાં આવી હતી. આવુ નિવેદન આપવા મામલે એડીસી બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી. 

શું છે મામલો
નોટબંધી દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું હતું કે એડીસી બેંકે પાંચ દિવસમાં 745 કરોડ રૂપિયાની રોકડ બદલી હતી. સુરજેવાલાએ એવો દાવો પણ કર્યો હતો કે એડીસી બેન્કના ચેરમેન અજય પટેલ ભાજપ અધ્યક્ષ અમિત શાહની ખુબ નજીક છે. જે દિવસે સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને બેન્ક પર આરોપ લગાવ્યો હતો, એ દિવસે રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને અમિત શાહ પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ લખ્યું હતું કે અમદાવાદ જિલ્લા સહકારી બેન્કના નિદેશક, અમિત શાહજીને અભિનંદન. આપની બેંકે જૂની નોટો બદલીને નવી કરવામાં બાજી મારી લીધી છે. પાંચ દિવસમાં 750 કરોડની રોકડ બદલવામાં આવી છે.

શેર કરતા જ સોશિયલ મીડિયા પર છવાયો નોરાનો પિંક ડ્રેસ લૂક, લાગે છે દુનિયાની સુપરક્યૂટ બાર્બી

બેંકે કર્યો હતો માનહાનિનો કેસ
રાહુલ ગાંધી અને સુરજેવાલાના નિવેદન બાદ અમદાવાદ જિલ્લા કો-ઓપરેટીવ (એડીસી) બેન્કના ચેરમેન અજય પટેલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી પ્રવક્તા સુરજેવાલા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. બંને સામે એડીસી બેન્કની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આરોપમાં અપરાધિક માનહાનિનો મામલો દાખલ કર્યો હતો. બેંકે કોર્ટમાં સીડી અને ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરતા કહ્યું હતું કે, બંને કોંગ્રેસી નેતાઓ તરફથી આપવામાં આવેલા નિવેદનો ખોટા હતા, કારણ કે બેંકે આટલી મોટી રકમ બદલી જ નથી.

ક્રિકેટ જગતના ‘ડાન્સિંગ’ લેગ સ્પિનર કહેવાતા અબ્દુલ કાદીરનું નિધન

ઉલ્લેખનીય છે કે, એડીસી બેંકના માનહાનિ કેસ મામલે આ વર્ષે 12 જુલાઈના રોજ રાહુલ ગાંધી ઘીકાંટાની મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. આ કેસ મામલે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news