GUJARAT: મારી પત્ની સામે કેમ જોયું તેમ કહીને યુવાને અન્ય યુવકની હત્યા કરી નાખી

જીલ્લાના વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે પત્ની સામે કેમ જોયુ કહીને યુવાનને મારામારીને તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી  હત્યા કરી હતી. જેથી કરીને યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ બાદ મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હાલમાં નજરે જોનાર મહિલાની ફરિયાદ લઈને પોલીસે હત્યા કરીને નાસી ગયેલા આરોપીને દબોચી લીધો છે.
GUJARAT: મારી પત્ની સામે કેમ જોયું તેમ કહીને યુવાને અન્ય યુવકની હત્યા કરી નાખી

મોરબી : જીલ્લાના વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે પત્ની સામે કેમ જોયુ કહીને યુવાનને મારામારીને તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી  હત્યા કરી હતી. જેથી કરીને યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ બાદ મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હાલમાં નજરે જોનાર મહિલાની ફરિયાદ લઈને પોલીસે હત્યા કરીને નાસી ગયેલા આરોપીને દબોચી લીધો છે.

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં મોડી સાંજના સમયે ગાયત્રી મંદિર પાસે કેશાભાઇ જીવાભાઇ ધંધુકીયા જાતે કોળી (ઉવ.૪૦, રહે. વાંકાનેર) કિશોરભાઇ મગનભાઇ કોળી (રહે વાંકાનેર મફતીયાપરા દાતાર ટેકરી)એ તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી દીધા હતા.જેથી ઇજા પામેલા યુવાન કેશાભાઇ જીવાભાઇ ધંધુકીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ધટના નજરે જોનાર મહિલાની ફરિયાદ લઈને પોલીસે હાલમાં આરોપીને ઝડપી લીધો છે. 

હાલમાં હત્યાના આ બનાવમાં પોલીસે કેશાભાઈ જીવાભાઈ ધંધુકિયાની હત્યાનો બનાવ નજરે જોનાર મહિલા ભાવનાબેન મયુરભાઇ પરબતાણી(ઉ.૨૦)ની ફરિયાદ લઈને આરોપી કિશોરભાઇ મગનભાઇ કોળી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. જેમાં ફરિયાદી મહિલાએ લખાવ્યું છે કે, કિશોરભાઇ કોળીની પત્ની સામે મૃતક કેશાભાઈએ જોયું હતું. જેથી પત્ની સામે કેમ જોયુ તેમ કહીને કિશોરે બોલાચાલી કરીને મારા મારી કરી હતી. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિ દીધા હતા. જેથી તેનું મોત નીપજયું છે અને આ આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ઝડપી લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news