કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લીધા આડે હાથ, કહ્યું- 'ગઝવા એ હિન્દની સાથે રાહુલ જવા માંગે છે'

 નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019), એનઆરસી (NRC) અને એનપીઆર (NPR) ને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત ઉઠી રહેલા વિરોધના સ્વર પર ભાજપના નેતા ગિરિરાજ સિંહે (Giriraj Singh) જડબાતોડ જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આક્રમક પ્રહારો કરતા કહ્યું કે રાહુલ ગાંધી હિન્દુસ્તાનનું ઈસ્લામીકરણ કરવા માંગે છે. ગિરિરાજ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી ઈચ્છે છે કે આ દેશ તૂટે અને તેઓ રાજ  કરી શકે. 
કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લીધા આડે હાથ, કહ્યું- 'ગઝવા એ હિન્દની સાથે રાહુલ જવા માંગે છે'

નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019), એનઆરસી (NRC) અને એનપીઆર (NPR) ને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત ઉઠી રહેલા વિરોધના સ્વર પર ભાજપના નેતા ગિરિરાજ સિંહે (Giriraj Singh) જડબાતોડ જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આક્રમક પ્રહારો કરતા કહ્યું કે રાહુલ ગાંધી હિન્દુસ્તાનનું ઈસ્લામીકરણ કરવા માંગે છે. ગિરિરાજ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી ઈચ્છે છે કે આ દેશ તૂટે અને તેઓ રાજ  કરી શકે. 

રવિવારે રાતે ગિરિરાજ સિંહે ટ્વીટ  કરીને રાહુલ ગાંધી પર રાજકીય પ્રહાર કરતા કહ્યું કે "પાકિસ્તાનના ગઝવા એ હિન્દનું સપનું તો મોદીએ ચકનાચૂર કરી નાખ્યું, હવે રાહુલ ગઝવા એ હિન્દ સાથે જવા માંગે છે. આ CAA, NPR અને NRCનો વિરોધ નથી, તેમની કોશિશ છે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુઓ, શીખ અને અન્ય લઘુમતીઓ ન આવે અને રોહિંગ્યા/પાકિસ્તાની મુસલમાનો આવે. દેશ તૂટે અને આ લોકો રાજ કરી શકે." 

આ અગાઉ 28 ડિસેમ્બરે ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા લખ્યું હતું કે ટુકડે ટુકડે ગેંગના લોકો દેશને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યાં છે. જે કામ મુઘલો અને અંગ્રેજોએ ન કર્યું તે રાહુલ ગાંધી, ઓવૈસી અને ટુકડે ટુકડે ગેંગ કરી રહ્યા છે. કોંગ્રેસની બેવડી નીતિના કારણે દેશને ભ્રમમાં નાખવાનું કામ થઈ રહ્યું છે. 

તેમણે ગાંધી પરિવાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આ લોકો મહાત્મા ગાંધીના આદર્શોની વાતો કરે છે. ગાંધી તો ચોરી લીધુ પણ ગાંધીએ પ્રાર્થના સભામાં 12 જુલાઈ 1947ના રોજ કહ્યું હતું કે જે લોકોને પાકિસ્તાનથી ભગાડવામાં આવ્યાં છે તેમને ખબર હોવી જોઈએ કે તેઓ સંપૂર્ણ રીતે ભારતના નાગરિક હતાં અને તેમને એ પણ ખબર હોવી જોઈએ કે તેઓ અખંડ ભારતના નાગરિક હતાં. ભારતની સેવા કરવામાં અને ભારતના મહિમા સાથે જોડાવવા માટે પેદા થયા હતાં. જો તેઓ આવે તો તેમને એ જ વ્હવહાર અને સન્માન મળે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

તેમણે કહ્યું હતું કે મોદી ડરાવતા નથી, પરંતુ આ લોકો દેશને ડરાવી રહ્યાં છે. આ સાથે જ રાહુલ ગાંધીને જૂઠ્ઠાણાની ખેતી બંધ કરવાની સલાહ આપતા કહ્યું કે સમગ્ર દેશમાં લોકો સીએએના પક્ષમાં છે. આ સાથે જ કહ્યું કે જે રીતે રાફેલમાં માફી માંગવી પડી તે જ રીતે આમા પણ રાહુલ ગાંધીએ દેશ પાસે માફી માંગવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news