કાશ્મીર: પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં 2 ભારતીય નાગરિકના મોત

નવેમ્બર મહિનામાં પહાડો પર થયેલી ભારે બરફ વર્ષાના કારણે કાશ્મીર ઘાટીમાં ઘૂસણખોરી કરવાના તમામ રસ્તાઓ બંધ થવાથી પાકિસ્તાની સેના ધૂંધવાયેલી છે

કાશ્મીર: પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં 2 ભારતીય નાગરિકના મોત

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના પૂંછ સેક્ટરમાં આજે પાકિસ્તાની સેના (Pakistan army) ના ફાયરિંગમાં 2 ભારતીય નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાને ફરીથી સંઘર્ષ વિરામ ( Ceasefire Violation) નો ભંગ કરીને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યાં. પાકિસ્તાનની આ હરકતનો ભારતીય સેના (Indian Army)  જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેના શુક્રવાર સાંજથી પૂંછના કૃષ્ણાઘાટી, બાલાકોટ, શાહપુર, કિરણી, અને માલતી સેક્ટરોમાં સતત સંઘર્ષવિરામનો ભંગ કરીને ફાયરિંગ કરી રહી છે. 

રક્ષા સૂત્રોના જણાવ્યાં મુજબ નવેમ્બર મહિનામાં પહાડો પર થયેલી ભારે બરફ વર્ષાના કારણે કાશ્મીર ઘાટીમાં ઘૂસણખોરી કરવાના તમામ રસ્તાઓ બંધ થવાથી પાકિસ્તાની સેના ધૂંધવાયેલી છે અને તે જમ્મુ (Jammu) ના સરહદી વિસ્તારો રાજોરી અને પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC)  પર ફાયરિંગની આડમાં ઘૂસણખોરી કરાવવાની કોશિશમાં સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહી છે. 

જુઓ LIVE TV

પાકિસ્તાની સેનાના આવા ષડયંત્રોને ભારતીય સેના નિષ્ફળ બનાવી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાની સેનાની ઘૂસણખોરી કરાવવાના આવા જ એક કાવતરાને સેનાએ પૂંછ સેક્ટરની સામે પાક અધિકૃત કાશ્મીરના ક્ષેત્રમાં જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાની સેનાના અનેક બંકર ધ્વસ્ત કર્યાં જેમાં 2 પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ પણ ગંભીર રીતે  ઘાયલ થયા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news