અમદાવાદની કેન્સર પીડિત મહિલાનું ડ્રાઈવ થ્રુ બેસણું, સ્વજનોએ કારમાં જ બેસીને શ્રદ્ધાંજલિ આપી

પ્રહલાદ નગર વિસ્તારમાંર હેતા કેન્સર પીડિત પન્ના ઠક્કરનું મૃત્યુ થયું હતું. તેમના નિધન પર ડ્રાઈવ થ્રુ બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આશ્કા જાની/અમદાવાદ :કોરોનાકાળ (Coronavirus) માં સાવચેતી રાખવી સૌથી મહત્વનું છે. આ ચેપ ક્યારે ગળે આવીને વળગે તે કહેવાય નહિ, તેથી તકેદારી જ સૌથી મોટી દવા છે. આવામાં લોકો હવે દરેક બાબતોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) નો નિયમ પાળતા થઈ ગયા છે. આવામાં લોકો સામાજિક પ્રસંગો અને કાર્યક્રમોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખતા થયા છે. આવામાં અમદાવાદના પ્રહલાદ નગરમાં અનોખું બેસણું યોજાયું હતું. એક કેન્સર પીડિત મહિલાના નિધન પર ડ્રાઈવ થ્રુ બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

1/6
image

પ્રહલાદ નગર વિસ્તારમાંર હેતા કેન્સર પીડિત પન્ના ઠક્કરનું મૃત્યુ થયું હતું. ત્યારે કોરોના મહામારીમાં તેમનું બેસણું કઈ રીતે યોજવું તે પરિવાર માટે મોટી મૂંઝવણ સવાલ હતો, પરંતુ ઠક્કર પરિવારે પન્ના ઠક્કર માટે એવું બેસણુ રાખ્યું, જેથી આવનારા લોકો માટેની સુરક્ષા સલામત રહે, અને કોરોના સંક્રમણનો ડર ન રહે.

2/6
image

ઠક્કર પરિવાર દ્વારા ખાસ બેસણનું આયોજન કરાયું. જેમાં આવનારા સ્નેહીજનોને પોતાની ગાડીમાંથી ઉતરવાની જરૂર જ પડી. તેઓ પોતાની કારમાં જ બેસીને શ્રદ્ધાંજલિ આપી શક્યા.

3/6
image

બેસણામાં એવુ આયોજન કરાયું હતું કે, આવનાર વ્યક્તિ તેની કાર પન્ના ઠક્કરની તસવીર સુધી લઈ આવી શકે. ગેટ પર ફૂલ આપવાની વ્યવસ્થા કરાઈ હતી. જેથી કારમાં બેસીને જ તેઓને ફૂલ લેવાનું હતું. 

4/6
image

બાદમાં ગાડીમાં જ બેસીને પન્ના ઠક્કરની તસવીર પાસે કાર લઈ જવાની હતી. અને પન્ના ઠક્કરના ફોટા પાસે જઈને ફૂલ ચઢાવવાના. બસ, ત્યાંથી સીધા જ બહાર નીકળી જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કારમાંથી ફૂલ લેવા માટે પણ એક વ્યક્તિને ગોઠવવામાં આવી હતી. જે ફૂલ લઈને તસવીર પર ચઢાવતી હતી. 

5/6
image

પરિવારે આ બેસણામાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝરનું ખાસ ધ્યાન રાખ્યું હતું. 

6/6
image

એટલું જ નહિ, પન્ના ઠક્કરને શ્રદ્ધાંજલિ આપવા આવનાર સ્વજનનોને તુલસીનો ક્યારો અને ગીતા તેમજ બાજોટ યાદગીરી સ્વરૂપે આપવામાં આવ્યા હતા.