YOGA DAY 2019 : ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માંડીને ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક સહિત અનેક સ્થળોએ થઈ ઉજવણી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 21 જૂનના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ લગભગ 1.50 કરોડ લોકોએ યોગની ઉજવણીમાં ભાગ લીધો હતો. રાજ્યમાં અનેક સ્થળો પર સામુહિક યોગના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું
 

અમદાવાદઃ 21 જૂનનો દિવસ સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ સ્ટેચ્યુઓફ યુનિટીથી માંડીને રાજ્યમાં આવેલા તમામ ઐતિહાસિક સ્થળો, કિલ્લાઓ, મહેલો, સાંસ્કૃતિ વારસા સમાન ઈમારતો અને બનાસકાંઠા પર આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમાં લગભગ 1.50 કરોડ લોકોએ સામુહિક યોગના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો ઉપરાંત કોર્પોરેટ ગૃહ, ખાનગી કંપનીઓ અને ફેક્ટરીના માલિકો, બિનસરકારી સંગઠન, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને શાળાઓ દ્વારા પણ પોતાને ત્યાં સામુહિક યોગના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 1000 સંતોએ કર્યા યોગ

1/14
image

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં સાંજે 6.00 કલાકે 'સાંધ્ય યોગ'નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે 1000થી વધુ સંતોએ ભાગ લીધો હતો. વિશ્વની સૌથી ઊંચી એવી કેવડિયા કોલોની ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાના સાનિધ્યમાં સાંધ્ય યોગમાં સાધુ-સંતોએ યોગ નિદર્શન કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. 

સરદારની પ્રતિમાના સાનિધ્યમાં યોગ નિદર્શન

2/14
image

વિશ્વની સૌથી ઊંચી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે આ પ્રથમ વખત સામુહિક યોગનું આયોજન કરાવામાં આવ્યું હતું. સામુહિક યોગના કાર્યક્રમના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને સાંજે 4.00 કલાકે બહારના મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયું હતું. અહીં 1000થી વધુ સંતોએ સામુહિક યોગ નિદર્શન કર્યું હતું. 

ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટામાં સામુહિક યોગ

3/14
image

રાજ્યની રાજધાની ગાંધીનગરમાં વિધાનસભાની સામેના ભાગમાં બનાવવામાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડમાં શહેરની 15 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ સામુહિક યોગ કર્યા હતા.   

બનાસકાંઠા ખાતે ભારત-પાક બોર્ડર પર યોગ

4/14
image

બનાસકાંઠાના સુઈ ગામ ખાતે આવેલી ભારત-પાકિસ્તાનની બોર્ડર પર ભારતીય સેનાના જવાનોએ યોગ કર્યા હતા. આ પ્રસંગે તેમણે યોગાસનની સાથે અંગ્રેજીમાં યોગ શબ્દ લખીને બનાવ્યો હતો. 

મલ્લખંભ પર યોગ

5/14
image

ભારતમાં યોગ પરંપરા 5000 વર્ષ પૂરાણી છે. દેશમાં સાધુ-સંતો અને કસરત બાજો વર્ષોથી યોગાસનો કરતા આવ્યા છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આયોજિત સામુહિક યોગના કાર્યક્રમમાં મલ્લખંભ પર યોગ કરીને યુવાનોએ લોકોને ચકિત કરી દીધા હતા. 

ઐતિહાસિક સ્મારકો ખાતે યોગ

6/14
image

રાજ્યમાં ઐતિહાસિક સ્મારકો, કિલ્લાઓ, પ્રાચીન વાવ સહિતના અનેક સ્થળોએ સામુહિક યોગ કરવામાં આવ્યા હતા.   

લક્ષ્મીવિલાસ પેલેસના પટાંગણમાં યોગ

7/14
image

વડોદરાના પ્રખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસના પટાંગણમાં વિદ્યાર્થીઓએ સામુહિક યોગ નિદર્શન કર્યું હતું. 

ડાયનાસોર મ્યુઝિયમમાં યોગ

8/14
image

તાજેતરમાં જ મહિસાગર જિલ્લાના રૈયોલીમાં ખુલ્લા મુકવામાં આવેલા ડાયનાસોર મ્યુઝિયમના પટાંગણમાં પણ સામુહિક યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.   

અડાલજની વાવમાં યોગ

9/14
image

પ્રાચીન ઐતિહાસિક સ્મારક એવી અડાલજની વાવમાં પણ સામુહિક યોગનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. 

અલંગ શિપયાર્ડ ખાતે આયોજન

10/14
image

રાજ્યના ભાવનગર ખાતે આવેલા એકમાત્ર જહાજ ભાંગવાના સ્થાન અલંગ શિપયાર્ડમાં પણ અહીં કામ કરતા કર્મચારીઓએ સામુહિક યોગનું આયોજન કર્યું હતું.   

સીદી સૈયદની જાળીની પાસે યોગ

11/14
image

અમદાવાદની ઓળખ ગણાતી એવી સીદી સૈયદની જાળી ખાતે પણ સામુહિક યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, જૂના અમદાવાદ શહેરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હેરિટેજ સીટીનો દરજ્જો આપવામાં આવેલો છે.   

પ્રખ્યાત અક્ષરધામ મંદિરમાં યોગ

12/14
image

રાજ્યની રાજધાની ગાંધીનગરમાં આવેલા વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરમાં પણ સામુહિક યોગનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.   

ભદ્રના કિલ્લા ખાતે યોગ

13/14
image

અમદાવાદની ઓળખ સમાન ભદ્રના કિલ્લા ખાતે પણ સામુહિક યોગનું આયોજન કરાયું હતું. અહીં, શહેરની મ્યુનિસિપાલિટીની શાળાના વિદ્યાર્થીઓએ સામુહિક યોગાસન કર્યા હતા.   

અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં વિશાળ કાર્યક્રમ

14/14
image

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અમદાવાદના મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા અને યોગાસન કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યમાં યોગ બોર્ડ રચવાની જાહેરાત કરી હતી.