સુરેશ રૈનાએ સુશાંત માટે કરી ન્યાયની માગણી, કહ્યું- 'તમે હંમેશા દિલોમાં જીવંત રહેશો'

સુરેશ રૈનાએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતા એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો. 

 સુરેશ રૈનાએ સુશાંત માટે કરી ન્યાયની માગણી, કહ્યું- 'તમે હંમેશા દિલોમાં જીવંત રહેશો'

નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina)એ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) માટે કહ્યું કે, દિવંગત બોલીવુડ અભિનેતા એક સાચી પ્રેરણા હતા અને તેઓ હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે. સોમવારે રૈનાએ દિવંગત અભિનેતાને યાદ કરતા પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે, તેને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકાર દિવંગત બોલીવુડ અભિનેતાને ન્યાય અપાવવામાં કોઈ કસર છોડશે નહીં. 

રૈનાએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'ભાઈ તમે અમારા દિલોમાં હંમેશા જીવંત રહેશે, તમારા પ્રશંસક તમને ખુબ યાદ કરે છે. મને આપણી સરકાર પર વિશ્વાસ છે અને તેના નેતા તમને ન્યાય અપાવવામાં કોઈ કસર છોડશે નહીં. તમે એક સાચી પ્રેરણા છો!'

— Suresh Raina🇮🇳 (@ImRaina) August 24, 2020

મહત્વનું છે કે 14 જૂને પોતાના ઘરે મૃત મળેલા સુશાંતના મોતની તપાસ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સોંપી દીધી છે. હાલમાં જ 15 ઓગસ્ટે રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે. તેણે પોતાના 13 વર્ષના કરિયરમાં 18 ટેસ્ટ, 226 વનડે અને 78 ટી20મા ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. રૈના 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યૂએઈમાં રમાનાર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news