વિજય નેહરા News

અમદાવાદના આ છ વોર્ડમાં કોઈ છૂટછાટ નહીં, બાકીના 42 વોર્ડમાં ખોલી શકાશે દુકાનો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની જાણકારી આપી. આજે ગુજરાત સરકાર દ્વારા આવતી કાલથી રાજ્યમાં દુકાનો ખોલવા અંગે જે નિર્ણય જાહેર કરાયો તે બાબતે અમદાવાદની પરિસ્થિતિ વિશે માહિતી રજુ કરી. તેમણે કહ્યું કે અમદાવાદના મધ્ય ઝોનના 4 વોર્ડ અને દક્ષિણ ઝોનના 2 વોર્ડ કન્ટેઈનમેન્ટ વોર્ડ જાહેર કરાયા છે. દુકાનો ખોલવાના નિયમો આ વિસ્તારોમાં લાગુ નહીં પડે. શહેરના અન્ય 42 વોર્ડમાં દુકાનો ખુલવાની શરતો લાગુ પડશે. આ વિસ્તારોમાં ખાડીયા, જમાલપુર, શાહપુર, દાણીલીમડા અને બહેરામપુરાનો સમાવેશ થાય છે. તેમના જણાવ્યાં મુજબ હાલ અમદાવાદમાં 1595 એક્ટિવ કેસ છે. 
Apr 25,2020, 18:50 PM IST

Trending news