નાણામંત્રી આજે આપશે આર્થિક પેકેજના ભાગ-2ની વિસ્તૃત માહિતી, થઇ શકે છે આ મોટા એલાન

સાંજે 4 વાગે નાણામંત્રી આર્થિક પેકેજના ભાગ 2ની વિસ્તૃત માહિતી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે કૃષિ, શ્રમ સુધાર, ઓટો મોબાઇલ સેક્ટર માટે આજે મોટી જાહેરત કરવામાં આવી શકે છે. 

નાણામંત્રી આજે આપશે આર્થિક પેકેજના ભાગ-2ની વિસ્તૃત માહિતી, થઇ શકે છે આ મોટા એલાન

નવી દિલ્હી: આર્થિક પેકેજ પર નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે ફરી એકવાર પત્રકાર પરિષદ કરશે. સાંજે 4 વાગે નાણામંત્રી આર્થિક પેકેજના ભાગ 2ની વિસ્તૃત માહિતી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે કૃષિ, શ્રમ સુધાર, ઓટો મોબાઇલ સેક્ટર માટે આજે મોટી જાહેરત કરવામાં આવી શકે છે. 

તમને જણાવી દઇએ કે અર્થવ્યવસ્થાને મજબૂતી આપવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે 15 જાહેરાતો કરે હતી. જેમાં MSME's ને ગેરેન્ટી વિના 3 લાખ કરોડની લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેનાથી 45 લાખ MSME's ને ભરપૂર ફાયદો મળવાની આશા છે. 

કોરોનાના સંકટને જોતાં સરકારે TDS અને TCS રેટ ઘટાડીને 25% કરી દીધો છે. સરકારે પોતાના ખુદના બિઝનેવ્સ કરનાર લોકોને તાત્કાલિક રિફંડ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ પણ 31 જુલાઇથી વધારીને 30 નવેમ્બર કરવામાં આવી છે. 

નાણામંત્રીએ બુધવારે આર્થિક પેકેજના ભાગ એકનું વિવરણ કરતાં કહ્યું હતું કે જે લોકોનો માસિક પગાર 15 હજાર રૂપિયાથી ઓછો છે તેમનો પીએફ જૂન, જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં પણ સરકાર ભરશે. આ સાથે જ કંપની માલિકના 12 ટકા ભાગ પણ સરકાર જમા કરશે. તેનો ફાયદો લાખો કર્મચારીઓને થશે. 

તો બીજી તરફ કોરોના વિરૂદ્દ લડાઇ માટે પીએમ કેયરસ ફંડમાંથી 3,100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તેમાંથી 2 હજાર કરોડ રૂપિયાની રકમનો ઉપયોગ વેંટિલેટરર્સ ખરીદવા માટે કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news