EXCLUSIVE: સુશાંત કેસમાં મળ્યો સોલિડ પુરાવો, સારા-રકુલ બાદ અન્ય એક મોટી અભિનેત્રી પણ NCB ના રડાર પર

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સુશાંત સિંહ કેસ સંબંધિત કેટલીક બેંક ડિટેલ્સ ZEE Newsને મળી છે જેનાથી આ કેસના અનેક રહસ્યો પરથી પડદા ઉઠશે. આ બેંક ડિટેલ્સથી જાણવા મળશે કે સુશાંત સિંહના મોત પહેલા  કેટલા પૈસા ક્યાં ક્યાં ખર્ચ કરાયા. જેમાં સુશાંતની પાઈ પાઈનો હિસાબ છે. 

EXCLUSIVE: સુશાંત કેસમાં મળ્યો સોલિડ પુરાવો, સારા-રકુલ બાદ અન્ય એક મોટી અભિનેત્રી પણ NCB ના રડાર પર

નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સુશાંત સિંહ કેસ સંબંધિત કેટલીક બેંક ડિટેલ્સ ZEE Newsને મળી છે જેનાથી આ કેસના અનેક રહસ્યો પરથી પડદા ઉઠશે. આ બેંક ડિટેલ્સથી જાણવા મળશે કે સુશાંત સિંહના મોત પહેલા  કેટલા પૈસા ક્યાં ક્યાં ખર્ચ કરાયા. જેમાં સુશાંતની પાઈ પાઈનો હિસાબ છે. 

'છીછોરે' પાર્ટી માટે 40 હજાર રૂપિયાનો ખર્ચ
આ બેંક ડિટેલ્સમાં એ વાતનો પુરાવો છે કે 28 માર્ચ 2019ના રોજ સુશાંતના પવાના ફાર્મ હાઉસ પર ફિલ્મ 'છીછોરે'ની પાર્ટી થઈ હતી. 28 માર્ચે જ છીછોરે પાર્ટી માટે 40 હજાર રૂપિયા ખર્ચા હોવાની જાણકારી મળે છે. 

No description available.

No description available.

No description available.

સારા બાદ વધુ એક અભિનેત્રીનું નામ સામે આવ્યું
આ ઉપરાંત એનસીબી સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે આ પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો. પાર્ટીમાં બોલિવુડની એક અભિનેત્રીએ પણ ડ્રગ્સનું સેવન કર્યું હતું. રિયા ચક્રવર્તી અને દીપેશ સાવંતે NCBની પૂછપરછમાં આ અભિનેત્રીના નામનો ખુલાસો કર્યો છે. જલદી આ અભિનેત્રીની મુશ્કેલી પણ વધવાની છે. એટલે કે સારા અલી ખાન બાદ હવે આ અભિનેત્રી પણ NCBના રડાર પર છે. 

ફિલ્મ કરિયરમાં સુશાંતે 60 કરોડ રૂપિયા કમાણી કરી હતી
આ બેંક અકાઉન્ટની નોમિની સુશાંતની બહેન પ્રિયંકા છે. સુશાંતે તેની આખી ફિલ્મી કરિયર દરમિયાન 60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેણે મલાડ વિસ્તારમાં અંકિતા અને પોતાના નામ પર એક 3 કરોડની કિંમતનો પ્લોટ ખરીદ્યો હતો. સુશાંતનું મોત થયું ત્યારે તેના એકાઉન્ટમાં લગભઘ અઢીથી ત્રણ કરોડ રૂપિયા પડ્યા હતાં. 

સુશાંતની એક્સક્લુઝિવ નોટ
આ ઉપરાંત ઝી ન્યૂઝની ટીમને સુશાંત સિંહ રાજપૂતના હાથે લખેલી કેટલીક એક્સક્લુઝિવ નોટ પણ મળી છે. આ બધી નોટ વર્ષ 2018ની છે. આ નોટ્સ સુશાંત સિંહ રાજપૂતના પવાના ફાર્મહાઉસથી મળી છે. આ નોટ્સમાં સુશાંતે અનેક મહત્વની વાતો લખી છે. તેમણે પોાતના રૂટિન અને ફ્યૂચર પ્લાન્સ વિશે લખ્યું છે. 

એક જગ્યાએ સુશાંતે લખ્યું છે...
- કોઈ યોગ્ય જવાબ નથી.
- કઈંક સારા સવાલ છે.
- પરેશાનીને કેવી રીતે ઉકેલવાની છે.
- ખુશી જ કેમ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news