ગુજરાત યાત્રા : ZEE 24 કલાક આવી રહ્યું છે તમારા શહેરમાં... સાંભળશે તમારી વાત...

કેમ છો ગુજરાત?? તમારી વાત કરવા આપની ચેનલ ZEE 24 કલાક ગુજરાત યાત્રા સાથે આવી રહી છે તમારા શહેરમાં, તમારી વચ્ચે, તમારી વાતો કરવા... આપની પોતાની ચેનલ ZEE 24 કલાક જ્યારે તમારી વચ્ચે આવી રહી છે ત્યારે તમે બોલશો અને અમે સાંભળીએ તમારી વાત.. જી હાં એ જ ઉદેશ્ય સાથે તમારી વાત કરવા તમારા શહેરમાં અમારી ગુજરાત યાત્રા આવી રહી છે. આ ગુજરાત યાત્રાને પહેલાં દિવસે અમદાવાદના મેયર બીજલ પટેલના હસ્તે ફ્લોગ ઓફ કરવામાં આવ્યું હતું. મેયર બીજલ પટેલે ગુજરાત યાત્રાની ગાડીની વિધિવત પૂજા કરીને તેને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. તો આજે બીજા દિવસે ગુજરાત સરકારના મંત્રી કૌશિક પટેલે ગાડીઓને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. 

ગુજરાત યાત્રા : ZEE 24 કલાક આવી રહ્યું છે તમારા શહેરમાં... સાંભળશે તમારી વાત...

અમદાવાદ :કેમ છો ગુજરાત?? તમારી વાત કરવા આપની ચેનલ ZEE 24 કલાક ગુજરાત યાત્રા સાથે આવી રહી છે તમારા શહેરમાં, તમારી વચ્ચે, તમારી વાતો કરવા... આપની પોતાની ચેનલ ZEE 24 કલાક જ્યારે તમારી વચ્ચે આવી રહી છે ત્યારે તમે બોલશો અને અમે સાંભળીએ તમારી વાત.. જી હાં એ જ ઉદેશ્ય સાથે તમારી વાત કરવા તમારા શહેરમાં અમારી ગુજરાત યાત્રા આવી રહી છે. આ ગુજરાત યાત્રાને પહેલાં દિવસે અમદાવાદના મેયર બીજલ પટેલના હસ્તે ફ્લોગ ઓફ કરવામાં આવ્યું હતું. મેયર બીજલ પટેલે ગુજરાત યાત્રાની ગાડીની વિધિવત પૂજા કરીને તેને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. તો આજે બીજા દિવસે ગુજરાત સરકારના મંત્રી કૌશિક પટેલે ગાડીઓને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. 

ઝી 24 કલાકની 2 એલઈડી વાન ગુજરાત યાત્રા પર નીકળી છે. જે ગુજરાતના 33 જિલ્લામાં ફરશે. આ વાન તમારા ગામ, તમારી શેરી, તમારી સોસયટી સુધી પહોંચશે. આ વાન દ્વારા તમારી વાત, તમારી સફળતા તથા તમારા ગામ-શહેરની સમસ્યા જાણવાનો પ્રયાસ કરાશે. ગઈકાલે પહેલા દિવસે વાન અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પહોંચી હતી. ત્યાંના રહીશોની વાત જાણવાનો પ્રયાસ કર્યો હતો. ઝી 24 કલાકની ટીમે લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે શુક્રવારે બીજા દિવસે ગુજરાત યાત્રાનો પ્રારંભ મંત્રી કૌશિક પટેલના હસ્તે કરાવ્યો હતો, જેના બાદ આ વાન અન્ય વિસ્તારોમાં જવા નીકળી હતી. 

ગુજરાત યાત્રાને ફ્લેગ ઓફ કરાવીને અમદાવાદના મેયર બીજલબેન પટેલે કહ્યું કે, ‘આજે નવો અહેસાસ થયો છે કે એક ચેનલ દ્વારા પ્રમોશન માટે એક વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેનુ ફ્લેગ ઓફ કરીને મને ગર્વની લાગણી થાય છે. અનેક રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં જવાનું થાય છે, પણ આજે એક નવા કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે. આ વાન ગુજરાતના 33 જિલ્લામાં ફરશે અને ચેનલના પ્રમોશન માટે નવુ અભિયાન આદર્યું છે. આ માટે ખૂબ ખૂબ અભિનંદન, આ નવો ઉદ્દેશ સિદ્ધ થાય તેવી મારી શુભકામનાઓ...’

તો મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, ‘અમે સાંભળીએ તમારી વાત... ઝી 24 કલાક ચેનલ દ્વારા એક નવા અભિગમ સાથે ગુજરાતમાં લોકોના પ્રશ્નો, સરકારના આયોજનો, ચર્ચાતા મુદ્દા લોકો સુધી પહોંચાડી, તેની ચર્ચા થાય, અને અવેરનેસ આવે.. તેવું બહુમુખી આયામ ઝી 24 કલાક દ્વારા શરૂ કરાયું છે. મારા તરફથી આ કાર્યક્રમને અભિનંદન. આશા અને અપેક્ષા રાખુ છું કે આ માધ્યમથી સરકાર અને પ્રજાની વાત એકબીજા સુધી પહોંચે...’ 

ઝી 24 કલાકની આ ગુજરાત યાત્રાને લઈ લોકોમાં અલગ જ ઉત્સાહ છે, કારણકે ઝી 24 કલાક લોકોની વચ્ચે પહોંચીને લોકોની વાત કરી રહ્યું છે. ગુરુવારે પ્રથમ દિવસે ગુજરાત યાત્રામાં પોતાની વાત જણાવવાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news