મહીસાગરઃ બાલાસિનોરની કોવિડ 19 હોસ્પિટલમાંથી દર્દી ફરાર


મહિસાગર જિલ્લામાં અત્યાર સુધી 152 કેસ સામે આવ્યા છે. જેમાં 2 દર્દીના મૃત્યુ થયા છે તો સારવાર બાદ 118 દર્દીઓ રિકવર થયા છે. 
 

મહીસાગરઃ બાલાસિનોરની કોવિડ 19 હોસ્પિટલમાંથી દર્દી ફરાર

મહીસાગરઃ મહીસાગરના બાલાસિનોરની કોવિડ 19 હોસ્પિટલ (Covid 19 Hospital)માંથી એક દર્દી ફરાર થવાની ઘટના સામે આવી છે. સંતરામપુરના ફળવા ગામનો દર્દી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો છે. કોરોનાનો દર્દી હોસ્પિટલમાંથી ભાગી જતા તંત્ર દોડતું થઈ ગયું છે. બીજીતરફ આ ઘટના બાદ હોસ્પિટલના બંદોબસ્ત પર સવાલ ઉઠી રહ્યાં છે. હોસ્પિટલમાં સિક્યોરિટી હોવા છતાં દર્દી કઈ રીતે ભાગી ગયો છે. 

મહિસાગરમાં કોરોનાની સ્થિતિ
મહિસાગર જિલ્લામાં અત્યાર સુધી 152 કેસ સામે આવ્યા છે. જેમાં 2 દર્દીના મૃત્યુ થયા છે તો સારવાર બાદ 118 દર્દીઓ રિકવર થયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news