પીએમની આંધી પહેલા હિંમતનગરમાં આકાશી આંધી, સભા મંડપ ધરાશાયી

પીએમ મોદીના ગુજરાતમાં આવતા પહેલા જ રાજ્યભરમાં અચાનક વાદળાછાય વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. તો ક્યાંક બરફના કરા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હિંમતનગર ખાતે પીએમ મોદીની સભાનો મંડપ ધારશાહી થયો છે.

પીએમની આંધી પહેલા હિંમતનગરમાં આકાશી આંધી, સભા મંડપ ધરાશાયી

અમદાવાદ: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને રાજકીય પક્ષ દ્વારા પ્રચારને તેજ બનાવવા આવી રહ્યો છે. જેને લઇ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે અને રાજ્યમાં જાહેર સભાને સંબોધન કરવાના છે. ત્યારે પીએમ મોદીના ગુજરાતમાં આવતા પહેલા જ રાજ્યભરમાં અચાનક વાદળાછાય વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. તો ક્યાંક બરફના કરા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હિંમતનગર ખાતે પીએમ મોદીની સભાનો મંડપ ધારશાહી થયો છે.

ભર ઉનાળામાં રાજ્યના 11 જિલ્લાના 38 તાલુકામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. બે દિવસના વાદળછાયા વાતાવરણ અને ક્યાંક છૂટાછવાયા વરસાદ બાદ આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, ભાવનગર, માળીયા મિયાણા, પડધરી, વાંકાનેર જેવા વિસ્તારોમાં મન મૂકીને વરસાદ વરસ્યો હતો. ત્યારે લોકસભા ચૂંટણી પ્રચાર માટે આવતી કાલથી ત્રણ દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં જાહેર સભાનું સબોધન કરવાના છે.

હિંમતનગરના બેરણા રોડ પર મોદી ગ્રાઉન્ડ ખાતે આવતી કાલે 2:30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સભા યોજાવાની છે. જેની તૈયારીઓ પૂરજોશમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો. જેના કારણે પીએમ મોદીની સભા સ્થળનો મંડપ ધરાશાહી થઇ ગયો છે. જો સભા સ્થળની વાત કરીએ તો, ગરમીમાં મતદારો અસર ના થાય તેના માટે કવર્ડ ડુમ સાથે ઠંડક માટે સ્પ્રીન્કલ ફુવારા રાખવામાં આવ્યા હતા. તો સભા સ્થળેથી એક કિમી દુર વડાપ્રધાન મોદી હવાઈ માર્ગે આવશે અને ત્યાંથી કારમાં સભા સ્થળે આવશે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થાને લઈને સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા પોલીસને તૈનાત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરવા પહોચશે. ત્યારે સભાને લઇને સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી હતી. ત્યારે આજે અચાનાક વાતાવરણમાં પલટો આવતા સુરેન્દ્રનગર સહીત સૌરાષ્ટ્રના મોટાભાગાના જિલ્લા અને તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જોકે પીએમ મોદીની સભાને લઇ સુરેન્દ્રનગર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને પ્રધાનમંત્રીના બંદોબસ્ત માટે કુલ 1500 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. જેમાં 7 એસપી, 13 ડીવાયએસપી, 23 પીઆઈ, 120 પીએસઆઇ, પોલીસ કર્મચારી સહિત એન્ટી સ્કવોડ, કયુ.આર.ટી, એલ.સી.બી, એસ.ઓ.જી સહિતની ટીમો તૈનાત રહશે. આજે પોલીસ દ્વારા હેલિપેડથી જાહેર સભાના સ્થળ સુધીનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીની વલ્લભ વિધ્યાનગર ખાતે ત્રણ જિલ્લાની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા, વડોદરા અને આણંદના લોકસભા ઉમેદવાર માટે પ્રચાર કરશે. પીએમ મોદીની સભાની જો વાત કરીએ તો અત્યારે લગભગ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. ખાસ સુરક્ષા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. સાથે સાથે ટ્રાફિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news