સરદારસાહેબ કોંગ્રેસ પાર્ટીના હતા કે નહીં?, છતાં તેમની જયંતી પર સ્મરણ સુદ્ધા ન કર્યું: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પહેલા છપરા અને ત્યારબાદ સમસ્તીપુરમાં ચૂંટણી રેલી સંબોધી. સમસ્તીપુરમાં પીએમ મોદીએ કહ્યું કે આજે જો દરેક સર્વે NDAની જીતનો દાવો કરે છે તો તેની પાછળ નક્કર અને મજબૂત કારણ છે.

સરદારસાહેબ કોંગ્રેસ પાર્ટીના હતા કે નહીં?, છતાં તેમની જયંતી પર સ્મરણ સુદ્ધા ન કર્યું: PM મોદી

પટણા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Nanrendra Modi) એ આજે પહેલા છપરા અને ત્યારબાદ સમસ્તીપુર (Samastipur) માં ચૂંટણી રેલી સંબોધી. સમસ્તીપુરમાં પીએમ મોદીએ કહ્યું કે આજે જો દરેક સર્વે NDAની જીતનો દાવો કરે છે તો તેની પાછળ નક્કર અને મજબૂત કારણ છે. આપણી માતાઓ અને બહેનો એનડીએની ફરીથી સરકાર બનાવી રહી છે. જેમને અમારી સરકાર, નીતિશ સરકારે સુવિધાઓ અને અવસરો સાથે જોડ્યા છે. એ જીવિકા દીદીઓ, જે આજે આત્મનિર્ભર પરિવાર અને આત્મનિર્ભર બિહારની પ્રેરણા બની રહી છે તેઓ NDAને તાકાત આપે છે. ઘરે ઘરે શાળા-કોલેજો બન્યા, શૌચાલયોએ જે બહેનો અને દીકરીઓને ગરીમા આપી, અંધારાની રાહ જોવામાંથી મુક્તિ આપી, તેઓ NDAની સરકાર બનાવી રહ્યા છે. 

સમસ્તીપુરમાં પીએમ મોદીએ કહ્યું કે આજે જો દરેક સર્વે NDAની જીતનો દાવો કરે છે તો તેની પાછળ નક્કર અને મજબૂત કારણ છે. આપણી માતાઓ અને બહેનો એનડીએની ફરીથી સરકાર બનાવી રહી છે. જેમને અમારી સરકાર, નીતિશ સરકારે સુવિધાઓ અને અવસરો સાથે જોડ્યા છે. એ જીવિકા દીદીઓ, જે આજે આત્મનિર્ભર પરિવાર અને આત્મનિર્ભર બિહારની પ્રેરણા બની રહી છે તેઓ NDAને તાકાત આપે છે. ઘરે ઘરે શાળા-કોલેજો બન્યા, શૌચાલયોએ જે બહેનો અને દીકરીઓને ગરીમા આપી, અંધારાની રાહ જોવામાંથી મુક્તિ આપી, તેઓ NDAની સરકાર બનાવી રહ્યા છે. 

પીએમ મોદીએ કહ્યું કે જે બહેનોને પીવાના પાણીના સંઘર્ષમાંથી મુક્તિ મળી તેઓ NDAના પક્ષમાં મતદાન કરી રહી છે. જેમના ઘરમાં ઉજ્જવલાનું સિલિન્ડર પહોંચ્યું છે તે બહેનોનો મત એનડીએ માટે છે. બિહારના દીકરા દીકરીઓને આજે મુદ્રા લોન મળી રહી છે, બેંકોએ તેમના માટે દરવાજા ખોલ્યા છે. જેમને IIM-IIT-એમ્સ મળી રહ્યા છે. તેઓ આજે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે NDA પર ભરોસો કરી રહ્યા છે. 

सरदार साहब कांग्रेस पार्टी के थे कि नहीं?

फिर भी कांग्रेस पार्टी कल सरदार पटेल की जन्म जयंती पर उनका स्मरण तक नहीं किया।

— BJP (@BJP4India) November 1, 2020

પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં એકબાજુ લોકતંત્ર માટે પૂર્ણ રીતે સમર્પિત એનડીએ ગઠબંધન છે જ્યારે બીજી બાજુ પોતાના નિહિત સ્વાર્થને સમર્પિત પારિવારિક ગઠબંધન છે. તેમણે કહ્યું કે સરદાર સાહેબે આખુ જીવન ફક્ત અને ફક્ત દેશ માટે લગાવ્યું કે નહીં? સરદાર સાહેબ કોંગ્રેસ પાર્ટીના હતા કે નહીં? આમ છતાં કોંગ્રેસ પાર્ટીએ કાલે સરદાર પટેલની જયંતી પર તેમનું સ્મરણ સુદ્ધા ન કર્યું. 

વિરોધીઓ પર પ્રહારો કરતા પીએમ મોદીએ કહ્યું કે ફક્ત અને ફક્ત પોતાના પરિવાર માટે કામ કરતી આ કૌટુંબિક પાર્ટીઓએ તમને શું આપ્યું? મોટા મોટા બંગલા બન્યા તો કોના બન્યા? મહેલ બન્યા તો કોના બન્યા? મોટી મોટી કરોડોની ગાડીઓ આવી, ગાડીઓનો કાફલો બન્યો, તો કોનો બન્યો. તેમણે કહ્યું કે NDAનો મંત્ર છે બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ. NDA સરકારનો સતત પ્રયત્ન છે કે કોઈ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રના વિકાસના લાભથી છૂટી ન જાય. સુવિધા, સન્માન અને સારી તકોમાં કોઈની પણ સાથે કોઈ ભેદભાવ થવો જોઈએ નહીં. આ જ તો સુશાસનનું પણ લક્ષ્ય છે. 

પીએમ મોદીએ કહ્યું કે જેમની દાનત ખરાબ હોય, જેમની નીતિ ફક્ત ગરીબોનું ધન લૂંટવાની હોય, જે નિર્ણય ફક્ત પોતાના અને પોતાના પરિવારને ધ્યાનમાં રાખીને લેતા હોય તેઓ વિકાસના દરેક પ્રયત્નનો વિરોધ જ કરશે. તેમણે કહ્યું કે આ લોકોને ગરીબની પરેશાની, તેમની મુસિબતો સાથે કોઈ લેવાદેવા નથી. તેમને ગરીબો ફક્ત ચૂંટણીમાં યાદ આવે છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે તેઓ માળા જપવાનું શરૂ કરી દે છે. ગરીબ..ગરીબ..ગરીબ... જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યારે બસ પોતાના પરિવારને લઈને બેસી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news