Uttarpradesh: બહરાઈચમાં બે વાહનો વચ્ચે ભીષણ ટક્કર, 6ના મૃત્યુ અને 10 ઘાયલ 

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં આજે વહેલી સવારે હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા. બહરાઈચમાં ભીષણ રોડ અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ થયા અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Uttarpradesh: બહરાઈચમાં બે વાહનો વચ્ચે ભીષણ ટક્કર, 6ના મૃત્યુ અને 10 ઘાયલ 

લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં આજે વહેલી સવારે હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા. બહરાઈચમાં ભીષણ રોડ અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ થયા અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર દુ:ખ જતાવતા અધિકારીઓને આદેશ આપ્યો છે કે ઘાયલોની સારવારમાં કોઈ ઉણપ રહેવી જોઈએ નહીં. જિલ્લા પ્રશાસન તમામ ઘાયલોને યોગ્ય ચિકિત્સા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે સક્રિય રહે. 

કહેવાય છે કે બહરાઈચમાં પ્રયાગપુરમાં એક વળાંક પાસે બે વાહનોમાં ભીષણ ટક્કર થઈ. જેમાં અનેક લોકોના મોત થયા. અકસ્માત બાદ ઘાયલોને તરત નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા. ઉલ્લેખનીય છે કે હાલ હવામાન બદલાઈ રહ્યું છે. સવારે ધુમ્મસ છવાયેલું હોય છે. જેના કારણે સામે આવતા વાહનો દેખાતા નથી. જે ભયાનક રોડ અકસ્માતનું કારણ બને છે. 

આ અકસ્માતમાં 6 લોકોના દર્દનાક મોત થયા છે. પોલીસ અને પ્રશાસન આ અંગે પ્રાથમિક તપાસ કરી રહ્યા છે. બહરાઈચના આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાંથી અનેકની હાલત ગંભીર છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news