દગાબાજ ચીનને પાઠ ભણાવવા ભારત પાસે છે આ 5 વિકલ્પ, ડ્રેગન ઘૂંટણિયે પડવા મજબૂર થશે!

ચીન (China) જો એમ સમજતું હોય કે તે લદાખ (Ladakh) માં નાપાક હરકત કરશે અને LACને બદલવાની કોશિશ કરશે તો ભારત કશું કરી શકશે નહીં તો ચીન એ વાત ભૂલી ગયું છે કે આ 1962નું હિન્દુસ્તાન (India) નથી. આ 2020નું ન્યૂ ઈન્ડિયા છે જે દરેક વાર પર જબરદસ્ત પલટવાર કરે છે. ન્યૂ ઈન્ડિયા (New India) નો સંકલ્પ છે કે જો છેડશો તો છોડીશું નહીં. ડોકલામથી લઈને ગલવાન ઘાટી સુધી ચીનને તેના પુરાવા પણ મળી ચૂક્યા છે. 

દગાબાજ ચીનને પાઠ ભણાવવા ભારત પાસે છે આ 5 વિકલ્પ, ડ્રેગન ઘૂંટણિયે પડવા મજબૂર થશે!

નવી દિલ્હી: ચીન (China) જો એમ સમજતું હોય કે તે લદાખ (Ladakh) માં નાપાક હરકત કરશે અને LACને બદલવાની કોશિશ કરશે તો ભારત કશું કરી શકશે નહીં તો ચીન એ વાત ભૂલી ગયું છે કે આ 1962નું હિન્દુસ્તાન (India) નથી. આ 2020નું ન્યૂ ઈન્ડિયા છે જે દરેક વાર પર જબરદસ્ત પલટવાર કરે છે. ન્યૂ ઈન્ડિયા (New India) નો સંકલ્પ છે કે જો છેડશો તો છોડીશું નહીં. ડોકલામથી લઈને ગલવાન ઘાટી સુધી ચીનને તેના પુરાવા પણ મળી ચૂક્યા છે. 

ચીનને પાઠ ભણાવવાના કૂટનીતિક અને સૈન્ય વિકલ્પ આ પ્રકારે છે...

પહેલો વિકલ્પ- ચીન વિરુદ્ધ કડક કાર્યવાહીની રણનીતિ બને
બીજો વિકલ્પ- LAC પર ચીનને તેની જ ભાષામાં જવાબ
ત્રીજો વિકલ્પ- ચીન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ગઠબંધન બને. જે દેશ ચીનની વિરુદ્ધ છે તેને ભારત સાથે લઈને ચાલે.
ચોથો વિકલ્પ- સમુદ્રમાં ચીનની ઘેરાબંધી કરે. ઈન્ડિયન નેવીના દબાણથી સમાધાન માટે મજબુર થઈ જશે ચીન
પાંચમો વિકલ્પ- ચીન વિરુદ્ધ જબરદસ્ત જવાબી કાર્યવાહી કરે ભારત

20 ઓક્ટોબર 1975ના રોજ અરુણાચલ પ્રદેશના તુલુંગ લામાં ચીને આસામ રાઈફલની પેટ્રોલિંગ પાર્ટી પર દગો કરીને હુમલો કર્યો હતો. જેમાં ભારતના 4 જવાન શહીદ થયા હતાં. એટલે કે ચીને ત્યારેપણ દગાબાજીવાળું ચરિત્ર દર્શાવ્યું હતું અને હવે એકવાર ફરીથી ચીનનું હિંસક ચરિત્ર સામે આવ્યું છે. પરંતુ ચીનની ચાલને આ વખતે હિન્દુસ્તાન હંમેશ માટે એવો પાઠ ભણાવશે કે ચીન જોતું રહી જશે. 

લદ્દાખ હિંસામાં 20 ભારતીય સૈનિક શહીદ
ગલવાન ઘાટી (Galwan valley) માં ભારત અને ચીન સૈનિકો વચ્ચે જે ઘર્ષણ થયું છે તેમાં સૂત્રો અનુસાર ભારતનાં લગભગ 20 સૈનિકો શહીદ થઇ ગયા છે અને ચીનને પણ લગભગ એટલું જ નુકસાન થયું છે. ભારતનાં જે સૈનિકો શહીદ થયા છે તેમાં એક કર્નલ રેંકનાં અધિકારી અને 2 જવાન શહીદ થઇ ગયા છે. ચીનનાં પણ લગભગ એટલા જ સૈનિકો મરાયા છે. તેમાં ચીનના એક કમાન્ડિંગ ઓફીસરનો પણ સમાવેશ થાય છે. સમાચાર એજન્સી ANI અનુસાર ચીન તરફથી 43 જવાનો ઘાયલ થયા છે. સુત્રોનું એવું પણ થયું છે કે, આ સંખ્યા વધી પણ શકે છે. 

જુઓ LIVE TV

ભારતીય સેનાએ પણ એક અધિકૃત નિવેદન બહાર પાડીને જણાવ્યું કે 15 જૂનની રાતે ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં 20 સૈનિકો શહીદ થયા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news