ભારતીય વાયુસેનાની શક્તિમાં થશે વધારોઃ રશિયા પાસેથી 18 સુખોઈ-30 અને મિગ-29 ખરીદાશે

ભારતીય વાયુસેનાના પ્રમુખ એરચીફ માર્શલ બી.એસ. ધનોઆ 9 જુલાઈથી 12 જુલાઈ સુધી રશિયાના પ્રવાસે ગયા છે, હાલ ભારત રશિયા સાથે વિમાનોની ખરીદી બાબતે ચર્ચા કરી રહ્યું છે 
 

ભારતીય વાયુસેનાની શક્તિમાં થશે વધારોઃ રશિયા પાસેથી 18 સુખોઈ-30 અને મિગ-29 ખરીદાશે

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના રશિયા પાસેથી એક સ્ક્વાડ્રન એટલે કે 18 સુખોઈ-30 મલ્ટીરોલ ફાઈટર જેટ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે જ 20 નવા મિગ-29 વિમાન ખરીદવાનું પણ આયોજન ચાલી રહ્યું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, આ સોદા પર બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. આ સોતો ફાસ્ટ ટ્રેક રૂટ પર થઈ રહ્યો છે એટલે વહેલામાં વહેલી તકે સોદો થઈ ગયા પછી ફાઈટર જેટ્સ ભારતીય વાયુસેનાને સોંપી દેવાશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાના પ્રમુખ એરચીફ માર્શલ બી.એસ. ધનોઆ 9 જુલાઈથી 12 જુલાઈ સુધી રશિયાના પ્રવાસે ગયા છે. 

ભારતે 90ના દાયકામાં રશિયા સાથે 272 સુખોઈ-30 ફાઈટર પ્લેન ખરીદવાનો સોદો કર્યો હતો., જેમાંથી 50 રશિયામાં અને બાકીના ભારતમાં તૈયાર કરવાનું આયોજન હતું. આ કાર્યક્રમ તેના કરાર મુજબ ચાલી રહ્યો છે અને અત્યારે ભારતીય વાયુસેનામાં 200થી વધુ સુખોઈ વિમાન સામેલ થઈ ચૂક્યા છે. હવે, રશિયા પાસેથી આવનારા નવા 18 સુખોઈ-30 ફાઈટર જેટથી વાયુસેનાની એક આખી સ્ક્વાડ્રન તૈયાર થઈ જશે.

રશિયા સાથે તેની પાસે સ્ટોરમાં રહેલા 20 મિગ-29 અપગ્રેડ વિમાન ખરીદવાની પણ વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. આ મિગ-29 વિમાન ભારતને ઘણી ઓછી કિંમતે મળી રહ્યા છે. અત્યારે ભારતીય વાયુસેનામાં 50 મિગ-29 વિમાનની કુલ મળીને ત્રણ સ્ક્વાડ્રન છે. ઉલ્લેખનીય છે કે, મિગ-29 એક મલ્ટી રોલ ફાઈટર જેટ છે, જેને ભારતીય વાયુસેનામાં 1985માં સામેલ કરાયા હતા. 

વર્તમાનમાં ભારતીય વાયુસેનાની હવાઈ તકાત ઘણી ઘટી ગઈ છે. ભારતીય વાયુસેના માટે જરૂરી 42 સ્ક્વાડ્રનની સામે અત્યારે 31 સ્ક્વાડ્રન જ બચી છે. જેમાં મિગ-21 વિમાન 60ના દાયકાના અને જગુઆર 70ના દાયકાના વિમાન છે. 

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news