વાવાઝોડું સર્જાયું તો ગુજરાતને કેટલી અસર થશે? જાણો રાજ્યમાં ક્યારે અને કેટલો વરસાદ પડી શકે!

Ambalal Patel Forecast: દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસી રહ્યું છે. અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. આના કારણે 12 થી 13 ઓક્ટોબર દરમિયાન મધ્ય અરબી સમુદ્ર પર નીચા દબાણનો વિસ્તાર બની શકે છે. આ સિસ્ટમના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

1/7
image

આગામી દિવસોમાં ભારતના અનેક રાજ્યોમાં હવામાનનો બેવડો ફટકો પડી શકે છે. સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બની શકે છે. આ બંને સ્થળોએ બે હવામાન પ્રણાલીઓ વિકસિત થઈ રહી છે. સ્કાયમેટ વેધરએ પણ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર વિસ્તાર બનવાની ચેતવણી જારી કરી છે. આ સિસ્ટમ આગામી 3 થી 4 દિવસમાં એટલે કે 12 અથવા 13 ઓક્ટોબર સુધીમાં મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમમાં ફેરવાય તેવી શક્યતા છે.

2/7
image

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસી રહ્યું છે. સ્કાયમેટ વેધર અનુસાર, 12 ઓક્ટોબર સુધીમાં, આ સિસ્ટમ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારમાં ફેરવાઈ શકે છે. આના કારણે નીચા દબાણનો વિસ્તાર પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી શકે છે. આ મોસમી હિલચાલ 16 ઓક્ટોબર સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરી શકે છે. જેના કારણે પૂર્વ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

3/7
image

અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. આ સિસ્ટમને કારણે 12 થી 13 ઓક્ટોબર દરમિયાન મધ્ય અરબી સમુદ્ર પર લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાય તેવી શક્યતા છે. આ સિસ્ટમના કારણે કેરળ, લક્ષદ્વીપ અને તટીય કર્ણાટકના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. આ પછી તે ઉત્તર-પશ્ચિમ તરફ પણ આગળ વધી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વિકસી રહેલી નવી હવામાન પ્રણાલીને કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાનમાં ફેરફારની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ગુરુવારે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

4/7
image

નવરાત્રિ બાદ વરસાદ ધબધબાટી બોલાવશે. રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લૉ પ્રેસર બનતા વરસાદની આગાહી છે. તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. પરંતું આ વચ્ચે નવા વાવાઝોડાના અપડેટ પણ આવી ગયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ફરી આગાહી કરી છે. અંબાલાલે કહ્યું કે લો પ્રેશર સિસ્ટમને કારણે આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે. આ સિવાય 22 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં સિવિયર સાયક્લોનિક સ્ટાર્મની આગાહી છે. જેની અસર ગુજરાતના વાતાવરણમાં પડી શકે છે. 

5/7
image

નર્મદા, ભરૂચ, સુરત, તાપી, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં આજે ભારે વરસાદ થશે. તો આવતીકાલે રવિવારે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં માં 32 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને, દીવમાં આવતીકાલે ભારે વરસાદ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતું નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હજી સુધી ચોમાસાએ વિદાય લીધી નથી 

6/7
image

અંબાલાલ પટેલ પ્રમાણે 16 અને 17 ઓક્ટોબરે દક્ષિણ ભારતના દરિયાઈ વિસ્તારમાં ડીપ ડિપ્રેશનની સંભાવના છે. અરબ સાગરમાં અનુકૂળ સ્થિતિ બનવાની સંભાવનાને કારણે તોફાન પણ સર્જાય શકે છે. અંબાલાલ પટેલ પ્રમાણે 12 ઓક્ટોબરે પંચમહાલ, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં એક ઈંચ સુધી વરસાદ પડી શકે છે. રાજકોટ અને કચ્છ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 

7/7
image

અંબાબાલ પટેલે કહ્યું કે આગામી 12થી 15 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં બે ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. નવરાત્રિ બાદ હવે દશેરાના દિવસે પણ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે. વેલમાર્ક લો પ્રેસરનું નિર્માણ થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. જોકે આ વખતે નવરાત્રિમાં વરસાદ આવતા ખેલૈયાઓની સાથે ગરબાના આયોજકોને પણ ફટકો પડ્યો છે. હવે તો લોકો મેઘરાજાને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે, ખમ્મા કરો મેઘરાજ.