નકલી બિયારણ ઝડપાયા બાદ વિપક્ષના પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર

ગાંધીનગરના માણસામાં નકલી બિયારણ ઝડપાયા બાદ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કૃષિ અને ઋષિના રાજ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની નિષફળતાને કારણે સરકારના મળતીયા દ્વારા કારસ્તાન થાય છે. 

નકલી બિયારણ ઝડપાયા બાદ વિપક્ષના પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર

કેતન બગડા/અમરેલી: ગાંધીનગરના માણસામાં નકલી બિયારણ ઝડપાયા બાદ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કૃષિ અને ઋષિના રાજ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની નિષફળતાને કારણે સરકારના મળતીયા દ્વારા કારસ્તાન થાય છે. 

કણ વાવીને મણ ભેગું કરવાના સ્વપનાં જોતા જગતના તાતનક જીવનમાં બે છેડા ભેગા નથી થતા ખેડૂતો કરજદારો બન્યા છેને આત્મહત્યા કરવા મજબુર બન્યા છે. નકલી ખાતર, નકલી દવા અને નકલી બિયારણ વેચનારા પર સરકારે શિક્ષતામક કાર્યવાહી કરવાનો માંગ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કરી હતી.

પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપના રાજમાં નકલી ખાતર, નકલી દવા, નકલી બિયારણ વેચીને જનતાને ઠગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના રાજમાં ખેડૂતો કણ વાવીને મણ લેવાના ખેડૂતોના સપના ચકનાચૂર કરવામાં આવી રહ્યા છે. ભાજપના રાજમાં ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે.   

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news