LRD ભરતી મુદ્દો વકર્યો, આજથી અન્નજળ ત્યાગ કરી દિનેશ બાંભણિયા ઉપવાસ પર ઉતર્યાં

ગુજરાતમાં હાલ એલઆરડી ભરતી મુદ્દો વકર્યો છે. એક વર્ગની માંગ છે કે 1-8-18નો પરિપત્ર રદ કરાવમા આવે અને બીજા વર્ગની માંગ છે કે ન તો રદ કરવામાં આવે ન તો તેમાં સુધારો કરવામાં આવે. આ વચ્ચે ગઈકાલે સરકારે આ પરિપત્રમાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે સરકારની આ નવી જાહેરાતથઈ બિનઅનામત વર્ગની નારાજગી સામે આવી છે. આ મામલે પાસના નેતા દિનેશ બાંભણીયાએ આજથી અન્નજળ ત્યાગની જાહેરાત કરી છે. દિનેશ બાંભણિયા તેમજ બિન અનામત વર્ગની કેટલીક મહિલાઓ આજથી જ ઉપવાસ આંદોલન કરશે. 
LRD ભરતી મુદ્દો વકર્યો, આજથી અન્નજળ ત્યાગ કરી દિનેશ બાંભણિયા ઉપવાસ પર ઉતર્યાં

ગૌરવ પટેલ/ગાંધીનગર :ગુજરાતમાં હાલ એલઆરડી ભરતી મુદ્દો વકર્યો છે. એક વર્ગની માંગ છે કે 1-8-18નો પરિપત્ર રદ કરાવમા આવે અને બીજા વર્ગની માંગ છે કે ન તો રદ કરવામાં આવે ન તો તેમાં સુધારો કરવામાં આવે. આ વચ્ચે ગઈકાલે સરકારે આ પરિપત્રમાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે સરકારની આ નવી જાહેરાતથઈ બિનઅનામત વર્ગની નારાજગી સામે આવી છે. આ મામલે પાસના નેતા દિનેશ બાંભણીયાએ આજથી અન્નજળ ત્યાગની જાહેરાત કરી છે. દિનેશ બાંભણિયા તેમજ બિન અનામત વર્ગની કેટલીક મહિલાઓ આજથી જ ઉપવાસ આંદોલન કરશે. 

પત્રકાર પરિષદમાં દિનેશ બાંભણિયાએ કહ્યું કે, 1 ઓગસ્ટ ૨૦૧૮નો પરિપત્ર અમારો બંધારણીય અધિકાર છે. એની સાથે કોઇ બાંધછોડ નહિ થાય. ત્યારે તેની વિરુદ્ધમાં ગુજરાતમાં જલદ કાર્યક્રમ આપવામાં આવશે. આજે કલેક્ટરને રજૂઆત કરીશું. સરકાર પરિપત્રમાં કોઇપણ ફેરબદલ કરે એમાં બિન અનામત વર્ગને વિશ્વાસમાં લે. સરકાર એક તરફી નિર્ણય લેવા જઈ રહી છે, ત્યારે અમે કાયદાકીય લડાઇ લડીશું. મુખ્યમંત્રીને મળીને રજુઆત કરવામાં આવશે. એલઆરડી ભરતીમાં માત્ર બિન અનામત વર્ગના લોકોને જ ઓર્ડર આપવામાં આવ્યા નથી. જો સરકાર અમારી વાત નહિ માને તો આજથી ઉપવાસ છાવણી પર આંદોલનની શરૂઆત કરીશું. અમે અમારી સાથે થયેલા ભેદ ભાવને સાંખી લઇશું નહી.

તેમણે કહ્યું કે, માત્ર 250 લોકોની સામે આજે ૨૦૦૦ લોકો એકઠા થયા છે. અમે કોઇ સમાજની સામે નથી, પણ કોઇ સમાજની લાગણી નહી દુભાવા દઇએ. ચિંતન શિબિરમાં સમરસતા જળવાય એ અમારી પ્રાથમિકતા છે. રાજકીય કિન્નાખોરીને ધ્યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશનું સરકાર કરે. કોર્ટના જજમેન્ટને સરકારે ધ્યાને લેવા જોઇંએ. બિન અનામત વર્ગની નાપાસ થયેલી દીકરીઓનું લિસ્ટ અમને આપો.

ટ્રમ્પની મુલાકાતને લઈને દિનેશ બાંભણિયાએ કહ્યું કે, ટ્રમ્પ અને મોદીનો વિરોધ અમને પણ આવડે છે. અમારે એ રસ્તા પર ના જવું પડે તે માટે સરકાર અમારી સાથે ચર્ચા કરે. આમ, આ જાહેરાત સાથે દિનેશ બાંભણીયા અને તેમની સાથે કેટલીક મહિલાઓ આજથી જ ઉપવાસ આંદોલન કરશે.

LRD મહિલા અનામત મુદ્દે સરકારે મોટો નિર્ણય
LRD મહિલા અનામત મુદ્દે સરકારે મોટો નિર્ણય લીધો છે. ભરતી વિવાદ મામલો હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર નવો પરિપત્ર બહાર પડશે. જેમાં મેરીટવાળી મહિલાઓને SC, ST, OBC મહિલાઓને જનરલ કેટેગરીના લાભ અપાશે. આવતી કાલ સુધી રાજ્ય સરકાર નવો પરિપત્ર બહાર પાડશે. જે નવો પરિપત્ર હશે તે 18 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મેરીટમાં હશે તો SC, ST, OBCને જનરલના લાભ અપાશે. સીધી લીટીમાં અનામત લાભ આપવા અંગે સરકારે નિર્ણય લીધો છે.

બિન અનામત વર્ગની 254 યુવતીઓએ હાઈકોર્ટમાં પિટીશન કરી
ઉલ્લેખનીય છે કે, એલઆરડી પરીક્ષામાં પાસ થયેલી 254 યુવતીઓ હાઈકોર્ટ પહોંચી છે. ગાંધીનગરમાં બિન અનામત વર્ગની 254 યુવતીઓએ હાઈકોર્ટમાં પિટીશન કરી છે. LRD મામલે રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માગને લઈ યુવતીઓ દ્વારા આ પિટીશન કરાઈ છે. પાસ થયેલી 1578 પૈકી 254 યુવતીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પાસ થયેલી યુવતીઓને તાત્કાલિક નિમણૂંક પત્ર આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news