સુરત વન વિભાગે બનાવી ખાસ પેન્સિલ, કુંડામાં રોપવાથી બનશે છોડ

સુરત વન વિભાગે બનાવી ખાસ પેન્સિલ, કુંડામાં રોપવાથી બનશે છોડ
  • છેલ્લા એક વર્ષથી વન વિભાગ દ્વારા આ ઝુંબેશ શરૂ કરી છે
  • વન વિભાગે ખાસ પ્રકારની પેન્સિલ બનાવી છે
  • પેન્સિલના છેડે અલગ-અલગ પ્રકારનાં બીજ છે.

ચેતન પટેલ/સુરત :સુરત વન વિભાગ દ્વારા બાળકોમાં વન્ય પ્રાણીઓ અને પર્યાવરણ વિશે સમજ આવે અને તેઓ તેનું મહત્વ સમજે તે માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વન વિભાગે ખાસ પ્રકારની પેન્સિલ બનાવી છે. જેમા પેન્સિલના છેડે અલગ-અલગ પ્રકારનાં છોડના બીજ લગાવવામાં આવ્યા છે. એટલે આ પેન્સિલ ઘસાઇને બહુ નાની થઈ જાય એટલે તેને જમીનમાં કે કૂંડામાં દાટી દેવાની અને તેમાંથી બે-ત્રણ અઠવાડિયાંમાં છોડ કે વૃક્ષ ઊગી નીકળે છે. જેથી બાળકો  પણ પર્યાવરણનું મહત્વ સમજે અને તેની જાળવણી કરે.

એવું કહેવામાં આવે છે કે બાળકો નરમ મન ધરાવે છે. અત્યારથી જ તેમના મનમાં સારા વિચારો લાવવામાં આવે તો તેઓ મોટા થઈને તેના પર અમલ કરી શકે છે. સંભવત આજ વાતને ધ્યાનમાં રાખીને, સુરત જિલ્લા વન વિભાગે એવી યોજના બનાવી છે કે, બાળકોને શિક્ષણની મદદથી જ પર્યાવરણના બાળપણથી જ જાગૃત રક્ષકો તૈયાર કરવા જોઈએ. બાળકોના મગજની સરળ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, વિભાગે તેમને ફક્ત તેમના શિક્ષણ દ્વારા પર્યાવરણ સુરક્ષા કેવી રીતે કરવી તે જણાવે છે. સુરત વન વિભાગના ડીએફઓ પુનિત નૈયર કહે છે કે, હાલમાં પર્યાવરણમાં જે બદલાવ આવી રહ્યા છે તેનું કારણ વૃક્ષોનું કપાવવું છે. લોકો વૃક્ષોનું મહત્વ સમજતા નથી. તેથી છેલ્લા એક વર્ષથી વન વિભાગ દ્વારા આ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં વન વિભાગે ખાસ પ્રકારની પેન્સિલ બનાવી છે. જેમા પેન્સિલના છેડે અલગ-અલગ પ્રકારનાં બીજ છે. એટલે આ પેન્સિલ ઘસાઇને બહુ નાની થઈ જાય એટલે તેને જમીનમાં કે કૂંડામાં દાટી દેવાની અને તેમાંથી બે-ત્રણ અઠવાડિયાંમાં છોડ કે ઝાડ ઊગી નીકળે છે. 

તમારા ઘર પાસે સિંહ આવી ચઢે તો સૌથી પહેલા શું કરશો? આ રહ્યો જવાબ 

આ વિશે વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, આ પેન્સિલ અમે સુરત જિલ્લાની અલગ અલગ સરકારી શાળાઓમાં આપી છે. શાળાઓ દ્વારા શિક્ષકોને આ પેન્સિલ અપાય છે. આનાથી બાળકમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવશે. સાથે જ બાળકોને જાતે ઝાડ કે છોડ વાવવાની ખુશી પણ મળે. આ સિવાય અમે પેન્સિલ ઉપર વન્યજીવોના ચિત્રો પણ દોર્યા છે અને તેની સાથે તેઓનો ટુંકમાં પરિચય પણ લખ્યો છે. જેના કારણે બાળકો વન્યજીવો અંગે જાણી શકશે. તેઓને માહિતી મેળવી શકશે અને તેનું મહત્વ પણ તેઓ સમજી શકશે. કોરોના સમયગાળા દરમિયાન, બાળકોને પર્યાવરણીય સંરક્ષણ અને સંવર્ધન માટે સહેલાઇથી પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી બનેલા પેન્સિલોના બોક્સ, વૃક્ષો ઉગાડવાનો એક માર્ગ તરીકે વર્ણવવામાં આવ્યો છે. જ્યારે પેન્સિલ પર તેના આયુર્વેદિક ઔષધીય છોડના બીજ અને જંગલી પ્રાણીઓની સચિત્ર માહિતી પણ આપવામાં આવે છે. આની મદદથી બાળકો વન્ય જીવન અને આયુર્વેદિક ઔષધીય વનસ્પતિઓ વિશે સરળતાથી શીખી શકે છે. 

ગાંધીનગરમાં 2 મકાનોમાં બ્લાસ્ટ બાદ ભયાવહ નજારો સર્જાયો, બૂલડોઝર ફેરવાયું હોય તેમ કાટમાળ પડ્યો છે   

પેન્સિલના અંતમાં કુંવાર વીરા, આદુ, તુલસી, મેથી, મધુનાશિની, અશ્વગંધા, ત્રિફલા, મીઠા આમળા સહિતના ઘણા આયુર્વેદિક પ્લાન્ટસ અને છોડના બીજ રોપવામાં આવ્યા છે, જે પેન્સિલ પૂર્ણ થયા પછી બાળકો વાસણમાં વાવેતર દ્વારા તેમાંથી છોડ કરી શકે છે. આ સિવાય ગ્રીન બોક્સ પર બાળકો એ કઈ રીતે બીજ રોપવા તે સરળતાથી સમજાય તે માટે સચિત્ર  વર્ણન પણ કરવામાં આવ્યું છે. બોક્સ પર પેન્સિલનો સંપૂર્ણ ઉપયોગ પણ આપવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news