ગઠબંધન સરકાર માટે કોંગ્રેસે મૂકી એવી શરતો, જાણીને શિવસેનાને લાગશે મોટો આંચકો

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં જબરદસ્ત વળાંક જોવા મળી રહ્યો છે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દિલ્હીમાં થઈ. જેમાં મહત્વના નિર્ણયો લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.

ગઠબંધન સરકાર માટે કોંગ્રેસે મૂકી એવી શરતો, જાણીને શિવસેનાને લાગશે મોટો આંચકો

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં જબરદસ્ત વળાંક જોવા મળી રહ્યો છે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દિલ્હીમાં થઈ. જેમાં મહત્વના નિર્ણયો લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના હવાલે ખબર પડી છે કે કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવવા માટે એનસીપી અને શિવસેના સામે 3 શરતો મૂકી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કોંગ્રેસ ઈચ્છે છે કે ઠાકરે પરિવારમાંથી કોઈ મુખ્યમંત્રી ન હોય. આ સાથે જ કોંગ્રેસે પહેલી શરત એ મૂકી છે કે એક કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવામાં આવે. બીજી શરત એ છે કે ત્રણેય પાર્ટીઓ વચ્ચે એક સમન્વય સમિતિ બને. આ ઉપરાંત કોંગ્રેસે ત્રીજી જે શરત મૂકી છે તે મુજબ ગઠબંધન સરકારમાં 4 વિધાયકો પર 1 મંત્રી બનાવવામાં આવે તથા સ્પીકર પદ કોંગ્રેસ પાર્ટીને મળે. 

કોંગ્રેસ નેતાઓની મુંબઈ દોટ
 મહારાષ્ટ્રમાં મચેલા રાજકીય ઘમાસાણમાં નવો વળાંક આવ્યો છે જે હવે આ સત્તાની ખેંચતાણ પર પૂર્ણ વિરામ મૂકી શકે તેમ છે. એનસીપીને સરકાર બનાવવા માટે રાજ્યપાલે આમંત્રણ આપ્યા બાદ કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ આજે મુંબઈ જવાનું છે અને એનસીપી પ્રમુખ શરદ પવારને મળશે. કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી. એવા પણ અહેવાલ છે કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શરદ પવાર સાથે ફોન પર વાત કરી છે. 

કોંગ્રેસના નેતા  કે સી વેણુગોપાલે ટ્વીટ કરીને કહ્યું કે "આજે સવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીજીએ શરદ પવાર સાથે વાત કરી છે. હું, અહેમદ પટેલ અને મલ્લિકાર્જૂન  ખડગે શરદ પવાર સાથે આગળ વાતચીત માટે મુંબઈ જઈશું." 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે NCPને રાતે આઠ વાગ્યા સુધીમાં રાજ્યપાલ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરવાનો છે. પરંતુ હજુ સુધી કોંગ્રેસ પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. ક્યારેક કોંગ્રેસ એમ કહેતી જોવા મળી કે રાજ્ય નેતૃત્વ તેના પર નિર્ણય લેશે તો ક્યારેક કોંગ્રેસ નેતાઓ પાર્ટી હાઈકમાન્ડ પર ટાળતા જોવા મળ્યાં. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના 44 ધારાસભ્યો છે અને તેમાંથી 40 ધારાસભ્યો જયપુરમાં રોકાયા છે. 

અત્રે જણાવવાનું કે આજે સવારે સોનિયા ગાંધીના નિવાસસ્થાને મહારાષ્ટ્રને લઈને એક બેઠક થઈ. આ બેઠકમાં એ કે એન્ટોની અને કેસી વેણુગોપાલ પહોંચ્યા હતાં. આ બેઠકમાં નક્કી થયું કે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ મુંબઈ જશે. આમ તો એનસીપી અને કોંગ્રેસના નેતાઓમાં આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે.  જે ગઠબંધન પહેલાના સારા સંકેત નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news