Corona Update: પાછા વધ્યા કોરોનાના કેસ, કુલ આંકડો 62 લાખને પાર

ભારતમાં કોરોના વાયરસ(coronavirus)ના સંક્રમિત દર્દીઓની સંખ્યા 62 લાખને પાર ગઈ છે. જે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં  80,472 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1179 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 86,428 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 62,25,763 થયો છે.  જ્યારે મૃતકોની કુલ સંખ્યા 97,497 થઈ છે. 
Corona Update: પાછા વધ્યા કોરોનાના કેસ, કુલ આંકડો 62 લાખને પાર

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ(coronavirus)ના સંક્રમિત દર્દીઓની સંખ્યા 62 લાખને પાર ગઈ છે. જે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં  80,472 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1179 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 86,428 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 62,25,763 થયો છે.  જ્યારે મૃતકોની કુલ સંખ્યા 97,497 થઈ છે. 

દેશમાં હાલ  9,40,441 લોકો સારવાર હેઠળ (corona active case in india) છે. અત્યાર સુધીમાં 51,87,825 લોકો કોરોનાને માત આપવામાં સફળ થયા છે. સપ્ટેમ્બર મહિનામાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. 

અત્રે જણાવવાનું કે રિકવરી રેટ (corona recovery rate) 83.33 ટકા પર પહોંચી ગયો છે જે ખુબ સારી વાત છે. જ્યારે ડેથ રેટ 1.57 ટકા છે. પોઝિટિવિટી રેટ(corona positive rate) 7.4 ટકા છે જ્યારે 15.1 ટકા કેસ એક્ટિવ મળી રહ્યા છે. 

ICMRના જણાવ્યા મુજબ 29 સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસના કુલ 7 કરોડ 41 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરવામાં આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news