તબલિગી જમાતમાં સામેલ લોકોની શોધ માટે યુદ્ધસ્તરે અભિયાન, કોરોનાના કેસ 1900 પાર

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં અભિયાનમાં ઝડપ લાવતા વિભિન્ન રાજ્યોમાં પ્રશાસને કોવિડ-19ના સૌથી મોટા હોટસ્પોટ બનીને ઊભરેલા દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝમાં તબલિગી જમાતના આયોજનમાં ભાગ લેનારા 6000થી વધુ લોકોની ઓળખ કરી છે. દેશભરમાં બુધવારના રોજ સૌથી વધુ 450 પોઝિટિવ કેસ સામે આવતા હવે સંક્રમિત લોકોની સંખ્યા 1900 પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 59 લોકોના મોત થઈ ચૂક્યા છે. 

તબલિગી જમાતમાં સામેલ લોકોની શોધ માટે યુદ્ધસ્તરે અભિયાન, કોરોનાના કેસ 1900 પાર

નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં અભિયાનમાં ઝડપ લાવતા વિભિન્ન રાજ્યોમાં પ્રશાસને કોવિડ-19ના સૌથી મોટા હોટસ્પોટ બનીને ઊભરેલા દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝમાં તબલિગી જમાતના આયોજનમાં ભાગ લેનારા 6000થી વધુ લોકોની ઓળખ કરી છે. દેશભરમાં બુધવારના રોજ સૌથી વધુ 450 પોઝિટિવ કેસ સામે આવતા હવે સંક્રમિત લોકોની સંખ્યા 1900 પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 59 લોકોના મોત થઈ ચૂક્યા છે. 

જમાતમાં ભાગ લેનારા 5000થી વધુ લોકોને આઈડેન્ટીફાય કરાયા છે. જેમાંથી કેટલાક લોકોને રાજ્યની વિવિધ હોસ્પિટલમાં દાખલ પણ કરાયા છે. આ સાથે જ ગુજરાત, તામિલનાડુ અને તેલંગાણા સહિત અન્ય જગ્યાઓ પર 2000 અન્ય લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. 

આ સાચિમાં વિદેશીઓ પણ સામેલ છે. જ્યારે રાજ્યના અધિકારીઓએ એવા કેટલાક લોકોની ઓળખ કરી છે જે દિલ્હીથી પોત પોતાના ગૃહનગર પાછા ફર્યા નથી. પ્રશાસનનું કહેવું છે કે આવા કોરોના પોઝિટિવ કેસોમાં આટલો ઝડપથી વધારો તબલિગી જમાતના કારણે થયો છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 437 નવા કેસોની પુષ્ટિ થવાની સાથે કોરોના વાયરસના કેસની સંખ્યા 1834 થઈ ગઈ છે. જ્યારે 41 લોકોના મોત થયાં. જો કે વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જાહેર થયેલા આંકડા જોઈએ તો કુલ 1949 કેસ થયા છે અને ઓછામાં ઓછા 59 લોકોના મોત થયા છે. 

મહારાષ્ટ્ર, તામિલનાડુ, અને દિલ્હી તે જગ્યાઓમાં સામેલ છે જ્યાં મોટી સંખ્યામાં આવા કેસો સામે આવ્યાં છે. દિલ્હીમાં અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વાયરસના કેસ વધીને 152 થયા છે. જેમાંથી 53 લોકો એવા છે જે નિઝામુદ્દીનના આયોજનમાં સામેલ થયા હતાં. 

મહારાષ્ટ્રમાં બુધવારે આ સંખ્યા 33થી વધીને 335 થઈ ગઈ જેમાં એકલા મુંબઈમાં 30 કેસ સામેલ છે. સંખ્યામાં વધારો થવાની આશંકા છે. કારણ કે ઓળખ કરાયેલા લગભગ 5000 લોકો ઉચ્ચ જોખમની શ્રેણીમાં આવે છે. રાજ્ય સરકારે આ જાણકારી આપી છે. 

જુઓ LIVE TV

દિલ્હીમાં તબલિગી જમાતમાં ભાગ લીધા બાદ તામિલનાડુ પાછા ફરેલા 110 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે. જેના કારણે રાજ્યના કેસની સંખ્યા વધીને 234 થઈ ગઈ. તામિલનાડુમાં આવા 515 લોકોની ઓળખ થઈ જે લોકો નિઝામુદ્દીનના આયોજનમાં સામેલ થયા હતાં. જેમાંથી 59 લોકોને ઓળખ કરાયા હતાં. મુખ્યમંત્રીના પલાની સામીએ જણાવ્યું કે રાજ્યમાંથી લગભગ 1500 લોકો આ કાર્યક્રમમાં સામેલ થયા હતાં જેમાંથી 1131 લોકો રાજ્યમાં પાછા ફર્યા છે. 

કેન્દ્ર સરકારે બુધવારે રાજ્ય સરકારોને તથા  કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી, દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલિગી જમાતના આયોજનમાં ભાગ લેનારા તમામ લોકોનો સંપર્ક કરવા માટે યુદ્ધ સ્તરે કામ કરવાનું જણાવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news