મધ્ય પ્રદેશમાં થઈ CoronaVirus ની એન્ટ્રી, 4 દર્દીઓ મળી આવતા જબલપુર થયું લોક ડાઉન

ભારતમાં કોરોના વાયરસે છેલ્લા બે દિવસમાં પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કરી દીધુ છે. દેશમાં આ વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓની સંથ્યા 300 સુધી પહોંચનાર છે. મધ્ય પ્રદેશના જબલપુરમાં પણ ગત શુક્રવારના રોજ 4 લોકોના COVID-19 વાયરસથી ઈન્ફેક્ટેડ મળી આવ્યા છે. ત્યારબાદ જબલપુર પ્રશાસને સુરક્ષા કારણોસર સમગ્ર શહેરને બે દિવસ માટે લોક ડાઉન રાખવાનો નિર્ણય લીધો છે. 
મધ્ય પ્રદેશમાં થઈ CoronaVirus ની એન્ટ્રી, 4 દર્દીઓ મળી આવતા જબલપુર થયું લોક ડાઉન

જબલપુર: ભારતમાં કોરોના વાયરસે છેલ્લા બે દિવસમાં પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કરી દીધુ છે. દેશમાં આ વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓની સંથ્યા 300 સુધી પહોંચનાર છે. મધ્ય પ્રદેશના જબલપુરમાં પણ ગત શુક્રવારના રોજ 4 લોકોના COVID-19 વાયરસથી ઈન્ફેક્ટેડ મળી આવ્યા છે. ત્યારબાદ જબલપુર પ્રશાસને સુરક્ષા કારણોસર સમગ્ર શહેરને બે દિવસ માટે લોક ડાઉન રાખવાનો નિર્ણય લીધો છે. 

જબલપુરમાં 21 અને 22 માર્ચના રોજ બહારથી કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્હીકલ શહેરની અંદર આવી શકશે નહીં. કલેક્ટર ભરત યાદવે જબલપુર આવનારી તથા જબલપુરથી જનારી તમામ બસ સેવાઓને તત્કાળ પ્રભાવથી બંધ કરવાના આદેશ આપ્યાં છે. માત્ર સિટી ટ્રાન્સપોર્ટનું સંચાલન ચાલુ રહેશે. સમગ્ર શહેરને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે. લોક ડાઉન દરમિયાન કોઈ પણ વ્યક્તિને જરૂરી કામ વગર ઘરની બહાર નિકળવા પર  પ્રતિબંધ છે. 

જુઓ LIVE TV

જબલપુરમાં હાલમાં જ દુબઈથી પાછા ફરેલા એક જ પરિવારના ત્રણ લોકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. આ બાજુ હાલમાં જ જર્મનીથી પાછા ફરેલા એક વ્યક્તિને પણ કોરોના વાયરસથી સંક્રમિત જોવામાં આવ્યો છે. આ તમામ દર્દીઓની સારવાર મેડિકલ કોલેજના આઈસોલેશન વોર્ડમાં રાખીને કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર સહિત રાજ્ય પ્રશાસન અને અન્ય અધિકારી જનતા પાસે સહયોગ કરવાની અને સામાજિક અંતર જાળવવાના અભ્યાસની અપીલ કરી રહ્યાં છે. ઓમકારેશ્વર અને મહાકાલેશ્વર મંદિરને 31 માર્ચ સુધી બંધ કરી દેવાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news