જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં લશ્કરના બે આતંકી ઠાર

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અથડામણમાં લશ્કર એ તૈયબાના બે આતંકીઓનો ખાતમો થયો છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી સુરક્ષાદળોને હથિયારો પણ મળી આવ્યાં છે. 

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં લશ્કરના બે આતંકી ઠાર

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અથડામણમાં લશ્કર એ તૈયબાના બે આતંકીઓનો ખાતમો થયો છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી સુરક્ષાદળોને હથિયારો પણ મળી આવ્યાં છે. 

માર્યા ગયેલા આતંકીઓના નામ નવીદ ભટ અને આકિબ યાસીન ભટ છે. સુરક્ષાદળોને તેમની પાસેથી એકે-47, એક પિસ્તોલ મળી આવ્યાં છે. આ અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં બુધવારે 19 ફેબ્રુઆરીના રોજ થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતાં. પુલવામાના અવંતીપોરા વિસ્તારમાં મંગળવારે રાતે થયેલી અથડામણમાં જે આતંકીઓ માર્યા ગયા તેમાં કુખ્યાત આતંકી કમાન્ડર પણ સામેલ છે. 

જુઓ LIVE TV

આતંકવાદીઓની ઓળખ જહાંગીર રફીક વાની, રાજા ઉમર મકબુલ ભટ અને ઉજૈર અહેમદ ભટ તરીકે થઈ હતી. પોલીસના એસઓજીની એક ટીમને આતંકીવાદીઓ અંગે ખાસ જાણકારી મળી હતી અને ત્યારબાદ અવંતીપોરામાં ઓપરેશન શરૂ કરાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news