સુરત: ચિંતાજનક સમાચાર, નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ફરાર 

ગુજરાતમાં અમદાવાદ બાદ જ્યાં સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળી રહ્યાં છે તે સુરત શહેર છે. અહીંથી એક ચિંતાજનક સમાચાર આવ્યાં છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ફરાર થઈ ગયો હોવાના સમાચાર છે. 

સુરત: ચિંતાજનક સમાચાર, નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ફરાર 

ચેતન પટેલ, સુરત: ગુજરાતમાં અમદાવાદ બાદ જ્યાં સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળી રહ્યાં છે તે સુરત શહેર છે. અહીંથી એક ચિંતાજનક સમાચાર આવ્યાં છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ફરાર થઈ ગયો હોવાના સમાચાર છે. 

મળતી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલમાંથી 50 વર્ષના ભગવાન હરકિશનભાઈ રાણા નામના દર્દી ફરાર થઈ ગયા છે. સવારના અગિયાર વાગ્યાની આસપાસ તેઓ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી ફરાર થઈ ગયાં. આ દર્દીનો 21મી એપ્રિલના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ દર્દી નવી સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી ભાગી છૂટતા તંત્ર દોડતું થયું છે. તાબડતોબ સલાબતપુરા પોલીસને જાણ કરવામાં આવી છે. આ બાજુ પોલીસે પણ દર્દીની શોધખોળ શરૂ કરી દીધી છે. 

કોરોના પોઝિટિવ દર્દીનું મોત
સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. 22 વર્ષના રામકેશ ફાગુ નિશાદ નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. તેને 25 એપ્રિલના રોજ દાખલ કરાયો હતો. યુવકને લીવર સહિતની બીમારી પણ હતી. મૃતક યુવકને એપેડેમિક નિયમ પ્રમાણે અંતિમ વિધિ કરાશે. 

જુઓ LIVE TV

કોરોના પોઝિટિવ દર્દીનો આપઘાતનો પ્રયત્ન
આ બાજુ એવા સમાચાર મળ્યા છે કે યુનિવર્સિટી સમરસ હોસ્ટેલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ આપઘાતનો પ્રયાસ કર્યો. દર્દીઓ 4થી માળેથી પડતુ મૂકવાનો પ્રયત્ન કર્યો. મેડકલ સ્ટાફે તરત ફાયર વિભાગને જાણ કરી દેતા ટીમ સમયસર ત્યાં પહોંચી ગઈ અને જમ્પિંગ કોશન મૂકી દીધો. ત્યારબાદ એક ફાયર અધિકારી અને બે માર્શલે રેસ્ક્યુ કરીને દર્દીને નીચે ઉતારી દીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news