શાળાઓ ઓનલાઈન શિક્ષણ બંધ કરશે તો શિક્ષણ વિભાગ ઓનલાઈન ભણાવવા તૈયાર : શિક્ષણમંત્રી

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં રાજ્યમાં જે રીતના કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં શાળાઓ શરૂ કરવી કે નહીં કરવી તેના ઉપર પણ હજી સુધી પ્રશ્નાર્થ છે પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આજે એક મહત્વની બેઠક યોજી હતી. 

શાળાઓ ઓનલાઈન શિક્ષણ બંધ કરશે તો શિક્ષણ વિભાગ ઓનલાઈન ભણાવવા તૈયાર : શિક્ષણમંત્રી

મૌલિક ધામેચા/અમદાવાદઃ કોરોના કાળમાં શાળાઓ દ્વારા વાલીઓ પાસે ફીની માગ કરવાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો કે, જ્યાં સુધી શાળા નહીં ખુલે ત્યાં સુધી ફી વસૂલ કરી શકાશે નહીં. પરંતુ હાઈકોર્ટના આ નિર્ણય બાદ શાળા સંચાલકોએ પોતાની મનમાની શરૂ કરી દીધી છે. તેમણે ઓનલાઈન શિક્ષણ આપવાનું બંધ કરી દીધું છે. હવે ઓનલાઇન શિક્ષણ મામલે રાજ્યસરકાર નાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે સ્વનિર્ભર શાળાઓએ ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરવાની જરુર નહોતી. સાથે આવા તઘલખી નિર્ણય શાળાઓ કરશે તો રાજ્ય સરકાર ટીવીના માધ્યમથી વિદ્યાર્થીઓને ભણાવશે. માત્ર ગુજરાતી માધ્યમ માટે જ નહીં પણ સ્વનિર્ભર શાળાઓ અંગ્રેજી માધ્યમમાં ભણાવતી હતી તે મુદ્દે અધિકારીઓ સાથે બેઠક કરી નિર્ણય કર્યો છે કે આ બધા વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં પણ ભણાવશે. ગુજરાતી માધ્યમની રીતે જ આયોજન કરી અંગ્રેજી માધ્યમમાં ભણાવશે. બીજી તરફ કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા શિક્ષણમંત્રીએ કહ્યું કે એમની વાતો સાથે કોઈ લેવા દેવા નથી. કોંગ્રેસ માત્ર આક્ષેપ કરે છે, અમે કામ કરીને દેખાડ્યું છે. 

લાંચ કેસમાં PSI શ્વેતા જાડેજાની જામીન અરજી નામંજૂર, તપાસ ટીમ જેલમાં પણ કરશે પૂછપરછ  

શિક્ષણ વિભાગની મહત્વની બેઠક
કોરોનાના કપરા કાળમાં રાજ્યમાં શાળાઓ ક્યારે શરૂ થશે તે હજી સુધી કોઈ જ નક્કી નથી પરંતુ જોબ શાળાઓ શરૂ કરવામાં આવે તો કેવી રીતે શાળાઓ શરૂ કરવી કેવી રીતે અભ્યાસક્રમને આગળ વધારો જાહેર રજા દિવાળી ની રજા આ ઉપરાંત ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાને લઇને કેવી રીતનું આયોજન કરવું આ સમગ્ર બાબત ઉપર આજે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠક યોજાઇ હતી.

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં રાજ્યમાં જે રીતના કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં શાળાઓ શરૂ કરવી કે નહીં કરવી તેના ઉપર પણ હજી સુધી પ્રશ્નાર્થ છે પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આજે એક મહત્વની બેઠક યોજી હતી જેમાં ત્રણ વિકલ્પો શિક્ષણ અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જો શાળાઓ સપ્ટેમ્બર માસમાં ખુલે તો કઇ રીતનું આયોજન કરવું જો ઓક્ટોબર માસમાં ખુલે તો કઇ રીતનું આયોજન કર્યું અને જો નવેમ્બર માસમાં શાળાઓ શરૂ કરવામાં આવે તો કઇ રીતનું આયોજન કરવું છે જેમાં શિક્ષણ સાથે જ કેટલો અભ્યાસ રાખવામાં આવે જાહેર રજા અને પરીક્ષાની બાબતે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી..

ઉલ્લેખનીય છે કે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે મહત્વની ચર્ચા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડના પરીક્ષાની કરવામાં આવી છે કોઈપણ બોર્ડના વિદ્યાર્થીઓને નુકસાન થાય તે માટે પણ વિભાગને સૂચના આપવામાં આવી છે જ્યારે અભ્યાસક્રમ બાબતે પણ ચુડાસમાએ જણાવ્યું હતું કે જો શાળા શરૂ થાય તો અભ્યાસક્રમ કેટલો રાખવો ઉપરાંત અભ્યાસક્રમ મા કયા લેસન અને કવિતાઓને બાદ કરવી કેટલો અભ્યાસક્રમ રદ કરવો આ તમામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news