દિલ્હી-કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ પૂરી, નવરાત્રીથી શરૂ થશે ટ્રેન

ભારતીય રેલવે બોર્ડ(Indian Railway Board)ના ચેરમેન વિનોદકુમાર યાદવે મંગળવારે જણાવ્યું કે, દિલ્હી-કટરા વચ્ચે દોડનારી નવી વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ પુરી થઈ ચુકી છે. હવે આ ટ્રેન નવરાત્રીના દિવસથી શરૂ કરવામાં આવશે અને તીર્થયાત્રીઓ માટે આ એક મોટી ભેટ હશે. 

દિલ્હી-કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ પૂરી, નવરાત્રીથી શરૂ થશે ટ્રેન

નવી દિલ્હીઃ ભારતીય રેલવે બોર્ડ (Indian Railway Board)ના ચેરમેન વિનોદકુમાર યાદવે મંગળવારે જણાવ્યું કે, દિલ્હી-કટરા(Delhi-Katra) વચ્ચે દોડનારી નવી વંદે ભારત એક્સપ્રેસની (Vande Bharat Express) ટ્રાયલ પુરી થઈ ચુકી છે. હવે આ ટ્રેન નવરાત્રીના દિવસથી શરૂ કરવામાં આવશે અને તીર્થયાત્રીઓ માટે આ એક મોટી ભેટ હશે. ઉલ્લેખનીય છે કે, 29 સપ્ટેમ્બરથી નવરાત્રી(Navratra) શરૂ થવા જઈ રહી છે. એટલે દિલ્હી-કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ પણ 29 સપ્ટેમ્બરથી નિયમિત દોડવા લાગશે. 

યાદવે વધુમાં જણાવ્યું કે, "દેશમાં 2022 સુધીમાં 40 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવશે. નવા વિશેષ નિર્દેશો અનુસાર આ કામ કરવામાં આવી રહ્યું છે. આ કામ મેક ઈન ઈન્ડિયા (Make In India) પ્રોજેક્ટનો ભાગ હશે. દેશના તમામ વ્યસ્ત રૂટને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રૂટને ડિસેમ્બર 2021 સુધી તૈયાર કરી દેવાશે."

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દિલ્હીથી કટરા 8 કલાકમાં પહોંચી જશે, જેનો અત્યારે 12થી 14 કલાકનો સમય લાગે છે. તેની ઝડપ પ્રતિ કલાક 130 કિમીની આસપાસ રહેશે. દેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દિલ્હી-વારાણસી વચ્ચે દોડી રહી છે. 

સૂત્રો અનુસાર આ ટ્રેન સવારે 6.00 કલાકે દિલ્હીથી રવાના થશે અને અંબાલા, લુધિયાણા થીને બપોરે 12.38 કલાકે જમ્મુ પહોંચશે. બપોરે 2.00 કલાકે આ ટ્રેન કટરા પહોંચશે અને ત્યાંથી સાંજે 3.00 કલાકે દિલ્હી પરત આવવા માટે રવાના થશે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news