કોંગ્રેસ MP અને રાજસ્થાન માયાવતીનાં સમર્થનથી સર કરશે

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તમામ 230 સીટોનાં પરિણામ બાદ 114 સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જો કે સ્પષ્ટ બહુમતી કોઇ પણ પક્ષ પાસે નથી. ત્યારે બસપાએ કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં બસપાને બે સીટો પર જીત પ્રાપ્ત થઇ છે. આ પ્રકારે રાજ્યમાં કોંગ્રેસને બસપાના સમર્થનથી બહુમતનો 116 સીટોનો જાદુઇ આંકડો પ્રાપ્ત થઇ ચુક્યો છે. હવે તે સરકાર બનાવવાનો દાવો રાજ્યપાલની સામે રજુ કરી શકે છે. 

કોંગ્રેસ MP અને રાજસ્થાન માયાવતીનાં સમર્થનથી સર કરશે

નવી દિલ્હી : મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તમામ 230 સીટોનાં પરિણામ બાદ 114 સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જો કે સ્પષ્ટ બહુમતી કોઇ પણ પક્ષ પાસે નથી. ત્યારે બસપાએ કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં બસપાને બે સીટો પર જીત પ્રાપ્ત થઇ છે. આ પ્રકારે રાજ્યમાં કોંગ્રેસને બસપાના સમર્થનથી બહુમતનો 116 સીટોનો જાદુઇ આંકડો પ્રાપ્ત થઇ ચુક્યો છે. હવે તે સરકાર બનાવવાનો દાવો રાજ્યપાલની સામે રજુ કરી શકે છે. 

બસપા પ્રમુખ માયાવતીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને સમર્થનની જાહેરાત કરી છે. બુધવારે માયાવતીએ કહ્યું કે, ભાજપ સત્તામાં આવવા માટે જોડતોડના પ્રયાસો કરી રહી છે. જો કે હું ક્યારે પણ તેમના ઇરાદઓ પુરા નહી થવા દઉ. કોંગ્રેસની નીતિઓ સાથે સંમતી નહી દર્શાવતા બસપા મધ્યપ્રદેશમાં કોંગ્રેસનું સમર્થન કરશે. જો રાજસ્થાનમાં પણ કોંગ્રેસને સમર્થનની જરૂર પડશે તો બસપા રાજસ્થાનમાં પણ કોંગ્રેસને સમર્થન આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ વિધાનસભા 2018નાં પરિણામોનાં કારણે એક તરફ કોંગ્રેસ માટે છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલ વનવાસ ખતમ થવા તરફ ઇશારો કર્યો છે ત્યારે ભાજપ માટે આ પરિણામ કોઇ રાજનીતિક હાર તરીકે ન હોઇ માત્ર એક પાઠ તરીકે છે. 230 સીટમાંથી કોંગ્રેસનાં ખાતામાં 114 સીટો આવી છે. રાજ્યમાં સત્તાધારી ભાજપને 109 સીટો મળી છે. બસપાને 2 સીટો મળી છે. સમાજવાદીને 1 તથા 4 સીટો અન્યનાં ખાતામાં ગઇ છે. મધ્યપ્રદેશનાં પરિણામો પરથી તે સપ્ષ્ટ થાય છે કે રાજ્યમાં કોઇ પણ રાજનીતિક દળને બહુમતી નથી મળી.

સુત્રો અનુસાર રાજ્યનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સવારે 10 વાગ્યે પત્રકાર પરિષદનું આયોજન કરી શકે છે. અગાઉ ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે કહ્યું કે, અમે બુધવારે રાજ્યપાલ સાતે મુલાકાત કરીશું. રાકેશ સિંહે કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસને જનાદેશ નથી મળ્યો. રાકેશ સિંહે દાવો કર્યો કે રાજ્યનાં અનેક અપક્ષ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. બીજી તરફ રાજ્યમાં 2 સીટો જીતનારી બસપાના અધ્યક્ષ માયાવતી પણ સવારે 10.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાનાં છે. 
બીજી તરફ 114 સીટો જીતનારી કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ કમલનાથે રાજ્યપાલને પત્ર લખીને પોતાની સરકાર બનાવવાનો દાવો કર્યો છે. સાથે જ તેમણે મંગળવારે મોડી રાત્રે રાજ્યપાલ પાસે મળવાનો સમય માંગ્યો હતો. કમલનાથે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની હોવાનો અપક્ષ ધારાસભ્યો પાસે સમર્થનની વાત કરતા પ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે. 

પોતાના પત્રમાં કમલનાથે લખ્યું કે, કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી છે. ઉપરાંત કોંગ્રેસને તમામ અપક્ષ ઉમેદવારોનું સમર્થન પણ પ્રાપ્ત છે. આ સાથે જ કમલનાથે પરિણામની અધિકારીક જાહેરાત સાથે જ વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ સાથે રાજ્યપાલ પાસે મળવાનો સમય માંગ્યો છે. સાથે જ પ્રદેશમાં સરકાર બનાવવા માટેની પરવાનગી પણ માંગી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

assembly electionAssembly election 2018election resultElection Results 2018ChhattisgarhMadhya PradeshMizoramRajasthanTelangana2018 Vidhan Sabha election resultsચૂંટણી પરિણામચૂંટણી પરિણામ 2018વિધાનસભા ચૂંટણી પરિણામ 2018ભાજપકોંગ્રેસપરિણામ ટ્રેન્ડલાઇવ પરિણામલેટેસ્ટ પરિણામન્યૂઝ વીડિયોગુજરાતી સમાચારINCbjpBSPCPITRSJCCપાંચ રાજ્યોમાં ચૂંટણી5 state electionચૂંટણી પંચમધ્ય પ્રદેશછત્તીસગઢરાજસ્થાનમિઝોરમતેલંગાણાવિધાનસભા ચૂંટણી 2018મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીરાજસ્થાન વિધાનસભા ચૂંટણીછત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમિઝોરમ વિધાનસભા ચૂંટણીતેલંગાણા વિધાનસભા ચૂંટણીપાંચ રાજ્યોમાંવિધાનસભા ચૂંટણીરાજકારણઉમેદવાર5 state election date 2018મતદાનમત ગણતરીmadhya pradesh assembly election 2018Rajasthan Assembly Election 2018chhattisgarh assembly election 2018telangana assembly election 2018mizoram assembly election 2018mizoram assembly election 2018 opinion poll5 state assembly election 2018 opinion pollGujara

Trending news