કોરોનાને હરાવ્યા બાદ કેવી હશે દુનિયા? PM મોદીએ AEIOUના આધારે જણાવ્યું

કોરોના વાયરસને પરાસ્ત કર્યા બાદ દુનિયા કેવી હશે? કામકાજ કરવાની પદ્ધતિ કેવી હશે? લોકોની જીવનશૈલીમાં શું ફેરફાર આવશે? આ તમામ સવાલ આપણા મનમાં સ્વાભાવિકપણે ઉઠે છે. આ સવાલોના જવાબ પીએમ મોદીએ અનોખા અંદાજમાં આપ્યાં છે. તેમણે અંગ્રેજીના વોવેલ શબ્દો એટલે કે 'AEIOU' દ્વારા આ વિષયો પર પોતાના વિચાર પ્રોફેશનલ લોકોની સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ LinkedIn પર શેર કર્યા છે. 

કોરોનાને હરાવ્યા બાદ કેવી હશે દુનિયા? PM મોદીએ AEIOUના આધારે જણાવ્યું

નવી દિલ્હી: કોરોના વાયરસને પરાસ્ત કર્યા બાદ દુનિયા કેવી હશે? કામકાજ કરવાની પદ્ધતિ કેવી હશે? લોકોની જીવનશૈલીમાં શું ફેરફાર આવશે? આ તમામ સવાલ આપણા મનમાં સ્વાભાવિકપણે ઉઠે છે. આ સવાલોના જવાબ પીએમ મોદીએ અનોખા અંદાજમાં આપ્યાં છે. તેમણે અંગ્રેજીના વોવેલ શબ્દો એટલે કે 'AEIOU' દ્વારા આ વિષયો પર પોતાના વિચાર પ્રોફેશનલ લોકોની સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ LinkedIn પર શેર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ પોતાની જાતને પણ બદલાવ મુજબ ઢાળી રહ્યાં છે. તેમણે કહ્યું કે કોરોના બાદ નવા બિઝનેસ અને વર્ક કલ્ચરAEIOU મુજબ પુર્ન પરિભાષિત થશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે જ્યાં દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે ત્યાં ભારતના ઉર્જાવાન અને નવા વિચારોથી ભરેલા યુવા સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્યનો રસ્તો દેખાડી શકે છે. આ અંગે મેં @LinkedIn પર કેટલાક વિચારો શેર કર્યા છે. જે યુવાઓ અને વ્યવસાયી લોકો માટે ઉપયોગી છે. પીએમ મોદીની આ પોસ્ટનું મથાળું છે  'Life in the era of COVID-19.''

પીએમ મોદીએ કહ્યું કે જે રીતે અંગ્રેજીના શબ્દો વોવેલ (Vowel) AEIOUનું ખાસ મહત્વ હોય છે. એ જ રીતે કોરોના બાદના જીવનમાં આ શબ્દો સંલગ્ન અર્થોનું વિશેષ મહત્વ રહેશે...

અનુકૂળતા (A-Adaptability)
સમયની માગણી છે કે એવા બિઝનેસ અને લાઈફસ્ટાઈલ મોડલને અપનાવવામાં આવે જેમની સાથે સરળતાથી તાલમેળ બેસાડી શકાય. આમ કરીને આપણે બિઝનેસને પણ સુરક્ષિત રાખી શકીશું અને જિંદગીઓને પણ સંકટની આ ઘડીમાં બચાવી શકીશું. ડિજિટલ પેમેન્ટ આ કડીમાં ઉત્તમ ઉદાહરણ બની શકે છે. મોટા કે નાના દુકાનદારોએ ડિજિટલ ટુલ્સમાં રોકાણ કરવું જોઈએ. તેનાથી વેપાર કરવામાં કોઈ વિધ્ન નહીં આવે. ભારતમાં પહેલેથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો જોવા મળ્યો છે. 

Shared a few thoughts on @LinkedIn, which would interest youngsters and professionals. https://t.co/ZjjVSbMJ6b

— Narendra Modi (@narendramodi) April 19, 2020

એ જ રીતે ટેલિમેડિસિનનું પણ ઉદાહરણ લઈ શકીએ છીએ. તેમાં ક્લિનિક કે હોસ્પિટલ ગયા વગર આપણે ડોક્ટર પાસે પરામર્શ લઈ શકીએ છીએ . એ પણ ભવિષ્ય માટે સારા સંકેત છે. 

ક્ષમતા (E-Efficiency)
આપણે તેના અર્થ અંગે નવા પ્રકારે વિચારવું પડશે. ક્ષમતાનો આશય ફક્ત એ ન હોઈ શકે કે આપણે ઓફિસમાં કેટલો સમય આપ્યો? આપણે એવા મોડલ પર વિચાર કરવો જોઈએ કે જ્યાં પ્રયાસોની જગ્યાએ ઉત્પાદકતા અને ક્ષમતા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરાય. નિશ્ચિત સમયગાળામાં કામ પૂરું કરવા પર ભાર મૂકવામાં આવે. 

સમાવેશિતા (I- Inclusivity)
એવા બિઝનેસ મોડલને વિક્સિત કરવું પડતે કે જેનાથી ગરીબોની દેખભાળની સાથે ધરતીની સુરક્ષાનો ભાવ પણ સમાવિષ્ટ થાય. જળવાયુ પરિવર્તનના મુદ્દે આપણે ઘણી પ્રગતિ કરી છે. ધરતીમાતાએ દેખાડ્યું છે કે જો મનુષ્ય ગતિવિધિઓ ઓછી થાય તો તે વધુને વધુ ખીલે છે આથી એવી ટેક્નોલોજીનું ભવિષ્ય હશે જે ધરતી પર આપણા પ્રભાવને ઓછામાં ઓછો કરે. 

એ જ રીતે કોરોનાએ આપણને અહેસાસ કરાવ્યો છે કે સ્વાસ્થ્યગત સમસ્યાઓના નિદાન માટે મોટા પાયે ઓછા ખર્ચવાળી ટેક્નોલોજી વિક્સિત કરવી પડશે. તેના દ્વારા વૈશ્વિક સ્વાસ્થ્ય અને માનવતાની સેવામાં આપણે આગળપડતા રહી શકીએ છીએ. 

જુઓ LIVE TV

અસર (O-Opportunity)
દરેક સંકટ પોતાની સાથે અવસર લઈને પણ આવે છે. કોરોના વાયરસ પણ તેનાથી અલગ નથી. આવામાં આપણે નવી તકો/વિકાસના નવા ક્ષેત્રો અંગે આકલન કરવું જોઈએ. આપણા લોકો, આપણી યોગ્યતા અને આપણી ક્ષમતાના આધારે આમ કરી શકાય છે. આવામાં કોરોના બાદ દુનિયામાં ભારત અગ્રણી ભૂમિકામાં જોવા મળી શકે છે. 

સાર્વભૌમક્તા (U-Universalism)
કોરોના વાયરસ નસ્લ, ધર્મ, જાતિ, સમુદાય, ભાષા અને સરહદ જોતો નથી. આવામાં આપણો વ્યવહાર મુખ્ય રીતે એક્તા અને ભાઈચારાની ભાવનાથી ભરેલો હોવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news