મોટી જાહેરાત : ગુજરાતમાં દર છ મહિને ફાયર સેફ્ટી NOC રિન્યુઅલ ફરજિયાત કરાયું

રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને આગથી સંરક્ષણ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. આ જાહેરાત મુજબ, રાજ્યમાં દરેક હાઈરાઈઝ બિલ્ડિંગ, ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી (fire safety) એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજિયાત કરવામાં આવ્યું છે. 

મોટી જાહેરાત : ગુજરાતમાં દર છ મહિને ફાયર સેફ્ટી NOC રિન્યુઅલ ફરજિયાત કરાયું

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને આગથી સંરક્ષણ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. આ જાહેરાત મુજબ, રાજ્યમાં દરેક હાઈરાઈઝ બિલ્ડિંગ, ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી (fire safety) એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજિયાત કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : કલાકારોની પીડા, ‘નવરાત્રિ નહિ તો ડિસેમ્બર સુધી અમને રોજગારીની કોઈ તક નહિ મળે...’

  • રાજ્ય સરકાર આ હેતુસર પ્રાઈવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે.
  • આવા ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાન માલિક, કબજેદારો, ફેક્ટરી ધારકોએ એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને રિન્યુઅલ કરાવવું પડશે.
  • આ માટે ખાનગી યુવા એન્જિનિયર્સને સરકાર દ્વારા તાલીમ અપાશે.
  • તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા મંજૂરી આપશે.
  • નગરો અને મહાનગરોમાં આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરની પેનલ તૈયાર કરવામાં આવશે.
  • ફાયર સેફ્ટી એક્ટની કલમ 12 મુજબ આવા ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણૂંક કરવામાં આવશે. 

આ પણ વાંચો : ધાણા 200 અને ગુવાર 120 રૂપિયે કિલો.... આવા ભાવમાં ઘર ચલાવવું ગૃહિણીઓને મુશ્કેલ બન્યું 

ગુજરાત સરકારના આ નિર્ણયથી સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સહિતના યુવા એન્જિનિયર્સને સ્વરોજગારીની નવી તકો  મળતી થશે. તેમજ શહેરીકરણના વધતા વ્યાપ સામે આવા ફાયર સેફ્ટી ઓફિસરની સેવાઓ વ્યાપક સ્તરે મળતી થવાથી એનઓસી મેળવવાનું અને રિન્યુએબલ પણ સરળતાથી થઈ શકશે. બિલ્ડિંગના પ્રકાર અને ઉપયોગના આધારે ફાયર સેફ્ટીને લગતી તમામ પ્રકારની તાલીમ માટે રાજ્ય સરકાર ઓફલાઇન અને ઓનલાઇન સર્ટિફિકેટ તાલીમ મોડ્યુલ વિકસાવશે.  

આ પણ વાંચો : રાજકોટથી મોટો ખુલાસો : કોરોનામાં ફેફસા જેવા પથ્થર થવાની માહિતી વજૂદ વગરની છે 

રાજ્યમાં આવેલા અંદાજે 5 લાખથી વધુ મકાનો, વાણિજ્યિક સંકુલ, શાળા-કોલેજો, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકારના આ નિર્ણયથી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ માસે રિન્યુઅલ કરાવવાનું ખૂબ જ સરળ બનશે. મિલકત માલિકો-કબજેદારો પોતાની પસંદગી મૂજબના ફાયર સેફ્ટી અધિકારીની સેવાઓ મેળવી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news