હેલિકોપ્ટરમાં બેસીને પીએમ મોદીએ નર્મદા ડેમના એરિયલ વ્યૂનો Video બનાવ્યો, જુઓ

પોતાના 70મા જન્મદિવસ (Narendra Modi Birthday) ને ઉજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાત (Gujarat)ના મહેમાન બન્યા છે. પોતાના જન્મદિવસ પર તેઓ નર્મદા ડેમ (Narmada Dam)માં આવેલા નવા નીરના વધામણા કરશે. પસવારે ગાંધીનગર (Gandhinagar) થી કેવડિયા (Kevadia) જવા રવાના થયા હતા. સવારે 8.30 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયા ખાતે ખાસ હેલિકોપ્ટર મારફતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હેલિકોપ્ટરથી નજારો નિહાળ્યું હતું. કેવડિયાના મા નર્મદા (Narmada River)ના નીરના વધામણા કરવાની તૈયારીઓ થઈ ગઈ છે. પીએમ મોદી (PM Modi) એ કેવડિયા પહોંચીને હેલિકોપ્ટરથી જ નર્મદા ડેમ આસપાસની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ નજારો તેમણે પોતાના કેમેરામાં કંડારીને તેનો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. નર્મદા ડેમ (Statue of Unity)ના એરિયલ વ્યૂનો આ નજારો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. નર્મદા ડેમ જ્યારે આજે છલોછલ છલકાયો છે, ત્યારે ખુદ પીએમ પણ આ આકાશી નજારાને મન ભરીને માણ્યો હતો.  

હેલિકોપ્ટરમાં બેસીને પીએમ મોદીએ નર્મદા ડેમના એરિયલ વ્યૂનો Video બનાવ્યો, જુઓ

અમદાવાદ :પોતાના 70મા જન્મદિવસ (Narendra Modi Birthday) ને ઉજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાત (Gujarat)ના મહેમાન બન્યા છે. પોતાના જન્મદિવસ પર તેઓ નર્મદા ડેમ (Narmada Dam)માં આવેલા નવા નીરના વધામણા કરશે. પસવારે ગાંધીનગર (Gandhinagar) થી કેવડિયા (Kevadia) જવા રવાના થયા હતા. સવારે 8.30 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયા ખાતે ખાસ હેલિકોપ્ટર મારફતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હેલિકોપ્ટરથી નજારો નિહાળ્યું હતું. કેવડિયાના મા નર્મદા (Narmada River)ના નીરના વધામણા કરવાની તૈયારીઓ થઈ ગઈ છે. પીએમ મોદી (PM Modi) એ કેવડિયા પહોંચીને હેલિકોપ્ટરથી જ નર્મદા ડેમ આસપાસની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ નજારો તેમણે પોતાના કેમેરામાં કંડારીને તેનો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. નર્મદા ડેમ (Statue of Unity)ના એરિયલ વ્યૂનો આ નજારો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. નર્મદા ડેમ જ્યારે આજે છલોછલ છલકાયો છે, ત્યારે ખુદ પીએમ પણ આ આકાશી નજારાને મન ભરીને માણ્યો હતો.  

પોતાના ટ્વિટર પર એકાઉન્ટ પર વીડિયો શેર કરીને (twitter) પીએમ મોદીએ લખ્યું છે કે, હું કેવડિયા પહોંચી ગયો છું. કેવડિયા પહોંચીને તેમણે વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. નર્મદા ડેમનો પ્રોજેક્ટ તેમનુ સપનુ હતું. પોતાના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા માટે એક સમયે તેમણે ઉપવાસ પણ કર્યા હતા. ત્યારે વડાપ્રધાન બન્યા બાદ સૌથી પહેલુ કામ તેમણે ડેમની ઊંચાઈ વધારવાનું કર્યું હતું. 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 17, 2019

આ વખતે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાનાં કારણે નર્મદા નદી તોફાની બની હતી. જેના કારણે સરદાર સરોવર પોતાની મહત્તમ ક્ષમતા સુધી ભરાઇ ચુક્યો છે. હાલ સરદાર સરોવર ડેમનું જળસ્તર 138.68 મીટર સુધી પહોંચી ચુક્યું છે. ત્યારે પોતાના જન્મદિવસના અવસર પર નર્મદા નીરના વધામણા કરવાની તક તેમને મળી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news