લવ-જેહાદ પર વડોદરાના સાંસદે કહ્યું, વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓને ફોસલાવી લઈ જાય છે

લવ-જેહાદ પર વડોદરાના સાંસદે કહ્યું, વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓને ફોસલાવી લઈ જાય છે
  • સાંસદ રંજન ભટ્ટે વધુમાં કહ્યું કે, લવ જેહાદનો કાયદો ગુજરાતમાં પણ લાવવો જોઈએ.
  • રંજન ભટ્ટ પણ દિલ્હીથી યુવતીને સમજાવવા માટે દોડી આવ્યા હતા

રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતમાં ફરીથી લવ જેહાદનો કાયદો બનાવવાની માંગ ઉઠી છે. વડોદરાની 23 વર્ષીય બ્રાહ્મણ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લેતા સમગ્ર ગુજરાતમાં કિસ્સો ચર્ચાઈ રહ્યો છે. જેથી હવે ગુજરાતમાં લવ જેહાદ (love jihad)નો કાયદો બનાવવાની માંગ તેજ બની છે. ગઈકાલે ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ કાયદો ઝડપથી ગુજરાતમાં આવે અને લાગુ પડે તેવી માંગ કરી હતી. તો આજે સાંસદ રંજન ભટ્ટે પણ કહ્યું કે, ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બનવો જોઈએ. તેમણે કહ્યું, વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓને ફોસલાવી લઈ જાય છે. ગુજરાતમાં લવ જેહાદના કાયદા માટે હું CMને રજૂઆત કરીશ.

આ પણ વાંચો : વડોદરામાં મ્યૂકોરમાઈકોસિસ બીમારીની એન્ટ્રી, 7 કેસ આવ્યા 

દીકરીઓને ફોસલાવી પટાવીને તેઓને લઈ જવામાં આવે છે
સાંસદ રંજન ભટ્ટે વધુમાં કહ્યું કે, લવ જેહાદનો કાયદો ગુજરાતમાં પણ લાવવો જોઈએ. હું જે રીતે બે દિવસથી દીકરીને જોઈ રહી છું, તેને મળી પણ રહી છું, તેનું સતત કાઉન્સેલિંગ કરી રહી છું. તે ડરી ગયેલી છે. તેથી જે રીતે ફોસલાવી પટાવીને તેઓને લઈ જવામાં આવે છે તે દીકરીઓને પાછી લાવવી જોઈએ. સમજાવીને તેઓનું કાઉન્સેલિંગ કરવાની જરૂર પડે છે. પણ જો આ લવ જેહાદનો કાયદો થતો હોય તો લઘુમતી કોમના પણ કેટલાક અગ્રણીઓ એવુ સ્વીકારે જ છે કે, આવી રીતે ન જ થવ જોઈએ. બીજા સમાજની દીકીરીઓ સાથે લગ્ન ન કરવા જોઈએ. એ સમાજ પણ સ્વીકારે છે તેથી લવ જેહાદનો કાયદો લાવવો જોઈએ. 

વડોદરામાં હિન્દુ બ્રાહ્મણ યુવતીનું ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ યુવાને નિકાલ કરી લેતા વિવાદ પેદા થયો છે. વડોદરાનાં સાંસદ રંજન ભટ્ટ પણ દિલ્હીથી યુવતીને સમજાવવા માટે દોડી આવ્યા હતા. તેઓએ યુવતીને સમજાવ્યું હતું કે, મારે દિકરી નથી તુ મારી દિકરી જેવી છે તારે આ પગલું ન ભરવું જોઇએ. આવું કહીને તેઓએ સમજાવટ કરી હતી. તો બીજી તરફ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ લવ જેહાદ જેવા કિસ્સાઓ ડભોઇ અને વડોદરામાં વધારે બનતા હોવાનું અને લોકોની ઉગ્ર માંગણી હોવાનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. હાલ તો યુવતીને તેના પરિવારને સોંપી દેવાઇ છે. જ્યારે યુવાન અને તેનો પરિવાર વકીલના માથે માટલી ફોડીને ભુગર્ભમાં ઉતરી ચુક્યો છે. 

યુવતીની આપવીતી
ધર્મ પરિવર્તન કરનારી યુવતીએ કહ્યું કે, તે 6 વર્ષથી અયાઝના સંપર્કમાં હતી. શરૂઆતના દિવસોમાં મળ્યા બાદ તેઓ પ્રેમમાં પડ્યા હતા. જેના બાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. મને નિકાહ કરવા માટે અયાઝ મુંબઈ લઈ ગયો હતો, જ્યાં બાન્દ્રાની મસ્જિદમાં મારા નિકાહ કરાવાયા હતા. જેના બાદ અમે વડોદરા આવ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મને લોકોનો સપોર્ટ મળ્યો હતો. લોકોએ મને સમજાવી છે. તેથી વિચારીશ. હવે હુ અયાઝને પણ હિન્દુ બનવા માટે કહીશ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news