CAA Protest: યુપીમાં અનેક સ્થળો પર ઉગ્ર વિરોધ પ્રદર્શન, ભીષણ પથ્થરમારા અને આગચંપીના બનાવો

ફિરોઝાબાદમાં ન્યાયબંધ ચોકીમાં ઉપદ્રવીઓએ આગચંપી કરી. ફિરોઝાબાદમાં અડધો ડઝન જેટલી મોટર સાઈકલોને બાળી મૂકી. પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યાં. આ બાજુ પ્રદર્શનકારીઓ તરફથી ફાયરિંગ થયું હોવાના પણ અહેવાલ આવી રહ્યાં છે. ફિરોઝાબાદમાં જુમ્માની નમાજ બાદ માહોલ બગડ્યો. 

CAA Protest: યુપીમાં અનેક સ્થળો પર ઉગ્ર વિરોધ પ્રદર્શન, ભીષણ પથ્થરમારા અને આગચંપીના બનાવો

લખનઉ: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019)  વિરુદ્ધ આજે પણ પ્રદર્શનો થઈ રહ્યાં છે. દિલ્હી (Delhi) માં જામા મસ્જિદમાં નમાજ બાદ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. અને જંતર મંતર સુધી કૂચ કરી રહ્યાં છે. જ્યારે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં હાલ કલમ 144 લાગુ હોવા છતાં આજે ફિરોઝાબાદમાં ન્યાયબંધ ચોકીમાં ઉપદ્રવીઓએ આગચંપી કરી. ફિરોઝાબાદમાં અડધો ડઝન જેટલી મોટર સાઈકલોને બાળી મૂકી. પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યાં. આ બાજુ પ્રદર્શનકારીઓ તરફથી ફાયરિંગ થયું હોવાના પણ અહેવાલ આવી રહ્યાં છે. ફિરોઝાબાદમાં જુમ્માની નમાજ બાદ માહોલ બગડ્યો. 

— ANI UP (@ANINewsUP) December 20, 2019

ગોરખપુરના નખસ ખુનીયપુરમાં ઉગ્ર પ્રદર્શનકારીઓએ પથ્થરબાજી કરી. પોલીસે ઉપદ્રવીઓને વેર વિખેર કરવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસનાસેલ છોડ્યાં. બહેરાઈચમાં પણ નમાજ બાદ કાયદાનો વિરોધ કરી રહેલા લોકોએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો. બચાવ માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાં જિલ્લામાં કલમ 144 લાગુ થવા છતાં હજારોની સંખ્યામાં લોકો બહાર નીકળીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. 

CAA Protest: UPના ફિરોઝાબાદમાં ઉપદ્રવીઓએ પોલીસ ચોકી ફૂંકી મારી, પોલીસ પર ફાયરિંગ

આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયો હોવાના પણ અહેવાલ છે. લગભગ એક ડઝનથી વધુ ગાડીઓના કાચ તોડવામાં આવ્યાં છે. ઘટનાસ્થળે ભારે સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર છે. સંભલના ચંદોસીમાં જુમ્માની નમાજ બાદ હજારોની સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ. સુરક્ષા કારણોસર માર્કેટ બંધ કરાયા. શહેરમાં ઘણો અફડાતફડીનો માહોલ છે. આ દરમિયાન પોલીસને ધક્કે પણ ચડાવી. 

હિંસક પ્રદર્શનોને જોતા ગૌતમબુદ્ધ નગર પોલીસ હાઈ અલર્ટ પર છે. ઠેર ઠેર પોલીસ ફોર્સ લગાવવામાંઆવી છે. સ્થિતિ પર ચાંપતી નજર છે. મુઝફ્ફરનગરના પોલીસ સ્ટેશન સિવિલ લાઈન સ્થિત મદીના ચોક પર જુમ્માની નમાજ બાદ ભેગી થયેલી સેંકડોની ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો. પથ્થરબાજોને વેર વિખેર કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો. 

જુઓ LIVE TV

કહેવાય છેકે અમરોહા નગર સ્ટેશનની હદમાં અસામાજિક તત્વોએ માહોલ બગાડવાની કોશિશ કરતા પોલીસ પર પથ્થરમારો કર્યો છે. પથ્થરબાજી થતા જ પોલીસે લાઠીચાર્જ કરીને અસામાજિક તત્વોને ખદેડ્યાં. અમરોહાના એસપી અને ડીએમ ઘટનાસ્થળે પહોંચ્યાં. 

અત્રે જણાવવાનું કે લખનઉમાં જુમ્માની નમાજ બાદ ફરીથી ઉગ્ર પ્રદર્શન થવાની આશંકા હતી. જેને લઈને પોલીસ પ્રશાસને તૈયારી કરી હતી. બિજનૌરમાં કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયું છે. કહેવાય છે કે બિજનૌરમાં કોટવાલી શહેરના ચાહશીરી જામા મસ્જિદની મીનાર પર કાળા ઝંડા ફરકાવવામાં આવ્યાં. સવારથી જ દુકાનો પર તાળા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news