PMના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે પ્રિયંકા ગાંધી, કાશી વિશ્વનાથ મંદિરમાં કરશે વિશેષ પૂજા

કોંગ્રેસની મહાસચિવ તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના ચૂંટણી પ્રચારનું અભિયાન શરૂ કરી દીધું છે. આ ક્રમમાં તેઓ બુધવાર (20 માર્ચ) ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે. પ્રિયંકા ગાંધીના આ પ્રવાસને લઇને કાર્યકર્તાઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમની મુખ્ય સંકલનકારે જણાવ્યું કે પ્રિયંકા ગાંધી સવારે 9 વાગે ચૂનારથી રોડ માર્ગ દ્વારા વારાણસી પહોંચશે.

PMના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે પ્રિયંકા ગાંધી, કાશી વિશ્વનાથ મંદિરમાં કરશે વિશેષ પૂજા

લખનઉ: કોંગ્રેસની મહાસચિવ તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના ચૂંટણી પ્રચારનું અભિયાન શરૂ કરી દીધું છે. આ ક્રમમાં તેઓ બુધવાર (20 માર્ચ) ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે. પ્રિયંકા ગાંધીના આ પ્રવાસને લઇને કાર્યકર્તાઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમની મુખ્ય સંકલનકારે જણાવ્યું કે પ્રિયંકા ગાંધી સવારે 9 વાગે ચૂનારથી રોડ માર્ગ દ્વારા વારાણસી પહોંચશે.

જાણો મિનિટ ટૂ મિનિટનો કાર્યક્રમ
- 10:00 વાગે પ્રિયંકા ગાંધી વારાણસીના શીતલા મંદિરમાં મહિલા સમૂહથી મુલાકાત કરશે.
- 11:00 વાગે પ્રિયંકા ગાંધી સુલ્તાશકેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરશે.
- 02:00 વાગે પ્રિયંકા ગાંધી વારાણસીના રામનગરમાં સ્થિત પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના આવાસ પર જશે.
- લગભગ 03:00 વાગે પ્રિયંકા ગાંધી અસ્સી ઘાટ પર સ્થાનિક લોકો અને જનપ્રતિનિધિઓથી મુલાકાત કરશે.

કાશી વિશ્વનાથ મંદિરમાં કરશે પૂજા
જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કર્યા બાદ પ્રિયંકા ગાંધી અસ્સી ઘાટથી બોટ દ્વારા શાશ્વમેધ ઘાટ જશે અને ત્યાંથી બાબા શ્રી કાશી વિશ્વનાથ મંદિરે પૂજા-અર્ચના કરશે. લગભગ 4 વાગે પ્રિયંકા ગાંધી વારાણસી કોંગ્રેસના કાર્યાલય જશે અને ત્યાં જનપ્રતિનિધિ તેમજ કાર્યકર્તાઓની સાથે લોકસભા ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા કરશે. સાંજે લગભગ 06:03 વાગે પાર્ટી કાર્યાલયથી પ્રિયંકા ગાંધી બાબતપુર આતંરરાષ્ટ્રીય એરપોર્ટથી રવાના થશે.

પુલવામા હુમલાના કારણે હોળી મિલન કાર્યક્રમ રદ્દ
પ્રિયંકાના વારાણસી પ્રવાસ પર યોજનારા હોળી મિલન કાર્યક્રમને રદ્દ કરી દેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે. કે 14 ફેબ્રુઆરીના જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાના કારણે તેને રદ્દ કરવામાં આવી છે. સાંજે 03:03 વાગે બનારસ કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેદશ કોંગ્રેસે નક્કી કર્યું હતું હોળી મિલન કાર્યક્રમ. પુલવામામાં શહીદ થયેલા જવાનોના શોક પર કારણે પ્રિયંકાએ કાર્યક્રમ રદ્દ કરાવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news