જાણો જમ્મુ-કાશ્મીરમાં ધરપકડ પછી મસુદ અઝહરની એ કબૂલાત બની પાકો પુરાવો

મસૂદ અઝહરે કબુલાત કરી હતી કે તેણે બાંગ્લાદેશમાંથી પોર્ટુગિઝ પાસપોર્ટ અને ભારતીય વિઝા વલી આદમ ઈસાના નામે બનાવ્યો હતો. તેણે કરાચી એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગમાં તેના વિદ્યાર્થી હાફિઝના નામથી પ્રવેશ મેળવ્યો હતો. 
 

જાણો જમ્મુ-કાશ્મીરમાં ધરપકડ પછી મસુદ અઝહરની એ કબૂલાત બની પાકો પુરાવો

નવી દિલ્હીઃ જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર કે જેને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ દ્વારા બુધવારે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો છે તે આજથી 25 વર્ષ પહેલા ભારતીય સુરક્ષા એજન્સીઓના હાથે પકડાઈ ગયો હતો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં 1994માં જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, તે પાકિસ્તાની છે અને ભારતમાં પોર્ટુગીઝ પાસપોર્ટના આધારે પ્રવેશ્યો છે. ભારતીય એજન્સીઓએ આ ધરપકડ પછી મસૂદ અઝહરે કરેલી કબૂલાતને પુરાવા તરીકે રજૂ કરી હતી. ઝી ન્યૂઝે મસૂદ અઝહરની પુછપરછનો એ રિપોર્ટની નકલ તપાસ અધિકારીઓ પાસેથી વિશેષ રૂપે મેળવ્યો છે. 

આ રિપોર્ટમાં જણાવાયું છે કે, મસૂદ અઝહરે કબુલાત કરી હતી કે તેણે બાંગ્લાદેશમાંથી પોર્ટુગિઝ પાસપોર્ટ અને ભારતીય વિઝા વલી આદમ ઈસાના નામે બનાવ્યો હતો. તેણે કરાચી એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગમાં તેના વિદ્યાર્થી હાફિઝના નામથી પ્રવેશ મેળવ્યો હતો. 

જાણો ભારતમાં પકડાઈ ગયા પછી પુછપરછમાં મસૂદે કરેલી કબૂલાત તેના જ શબ્દોમાં...
"હું કરાચીથી 26 જાન્યુઆરી, 1994ના રોજ નિકળ્યો હતો અને ઢાકા પહોંચ્યો હતો. ઢાકાની હોટલ પ્રીતમમાં રોકાયો હતો અને મોલાના કલામુલ્લાહનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. મને જાણવા મળ્યું કે તેઓ સાઉદી અરેબિયા નિકળી ગયા છે. હું ઢાકામાં બે દિવસ રોકાયો અને પછી બાંગ્લાદેશ એરલાઈન્સ (બીમાન) દ્વારા દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 29, જાન્યુઆરી, 1994ના રોજ વહેલી સવારે પહોંચ્યો હતો." 

"IGI એરપોર્ટ પર ઈમીગ્રેશન અધિકારીઓએ જ્યારે મને પુછ્યું કે હું પોર્ટુગીઝ જેવો દેખાતો નતી ત્યારે મેં જવાબ આપ્યો કે હું ગુજરાતી મૂળનો છું. આ જાણ્યા બાદ તેમણે જરા પણ ખચકાયા વગર મારા પાસપોર્ટ પર સ્ટેમ્પ મારી આપ્યો હતો. અહીંથી મેં એક ટેક્સી ભાડે કરકી અને સારી હોટલ માટે પુછ્યું. હું ચાણક્યપુરીમાં આવેલી અશોકા હોટલમાં રોકાયો. રાત્રી રોકાણ દરમિયાન મેં અશરફ દારને તેના દિલ્હીના ટેલિફન પર કોલ કર્યો અને તેને મારા આગમનની જાણ કરી."

"બીજા દિવસે સવારે (29-1-1994) અશરફ દાર અશોકા હોટલ આવ્યો. તેની સાથે અબુ મેહમુદ, અમીર હુઆ અને જમ્મુ હતા. મેં દેવબંદ જઈને દેવબંદી ઉલેમાઓની કબર પર ફાતેહા પઢવાની ઈચ્છા વ્યક્ત કરી. આથી, અશરફ દાર મને તેની મારૂતી કારમાં દેવબંદ લઈ ગયો. અમારી સાથે અબુ મેહમુદ પણ હતો. અમે દારૂલ-ઉલૂમ-દેવબંદમાં એક રાત રોકાયા."

masood azhar by on Scribd

"દેવબંદમાં પ્રાર્થના કર્યા પછી બીજા દિવસે સવારે અમે ગંગોહ રવાના થયા અને ત્યાંથી સહારનપુર ગયા. અહીં, એક પણ જગ્યાએ મેં મારી સાચી ઓળખ આપી ન હતી, કારણ કે મારા અનેક પુસ્તકો અને આર્ટિકલ્સના કારણે હું પ્રખ્યાત થઈ ગયો હતો."

"31 જાન્યુઆરી, 1994ના રોજ સવારે એ જ કારમાં સવારે અમે દિલ્હી પાછા આવ્યા. તેના પહેલા અમે જલાલાબાદમાં મોલાના મસીર-ઉલ-ઉલ્લાહ ખાનના ત્યાં રાત્રી રોકાણ કર્યું હતું. દિલ્હી પહોંચીને મેં હોટલ જનપથમાં રૂમ લીધો. એક-બે દિવસના રોકાણ પછી અશરફ દારે મને જણાવ્યું કે, મારી શ્રીનગરની ફ્લાઈટ 9 ફેબ્રુઆરી, 1994ની બૂક થઈ ગઈ છે. હોટલ જનપથમાં રોકાણ દરમિયાન હરકત-ઉલ-અનસારના આતંકીઓ (ફારૂક, મેહમૂદ, કારી અબુ ઉબેદા) સાથે મારી મુલાકાત થઈ હતી, જેઓ દિલ્હીમાં ઈલાજ માટે રોકાયા હતા."

"અશરફ દારની સાથે 9 ફેબ્રુઆરી, 1994ના રોજ હું દિલ્હીથી શ્રીનગર જવા નિકળ્યો. 11 ફેબ્રુઆરી, 1994ના રોજ અનંતનાગ જવાના રસ્તે મારી ધરપકડ કરવામાં આવી. મને આર્મીએ રોક્યો હતો. તેની સાથે રહેલા લોકોએ હવામાં ગોળીબાર પણ કર્યો હતો અને તેમાંથી એક વ્યક્તિ ભાગી જવામાં સફળ રહ્યો હતો. મારી અને સજ્જાદ અફઘાનીની ધરપકડ કરવામાં આવી."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news