ગુજરાત સ્થાપના દિવસઃ રાજ્યના ૬૦ શ્રેષ્ઠીઓને અપાશે 'ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ'

‘ડૉ. શૈલેષ ઠાકર ફાઉન્ડેશન’, ‘ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા’,  ‘ગુજરાતી સમાજ ઓફ યુ.એસ.એ.’ દ્વારા સંયુક્ત રીતે કલા, સાહિત્ય, શિક્ષણ અને તબીબી ક્ષેત્રે પ્રદાન કરનારાનું સન્માન કરાશે
 

ગુજરાત સ્થાપના દિવસઃ રાજ્યના ૬૦ શ્રેષ્ઠીઓને અપાશે 'ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ'

અમદાવાદઃ 1 મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. મુંબઈ રાજ્યમાંથી છુટું પડીને અલગ ભાષાકીય રાજ્યની રચના થઈ હતી. ગુજરાતની સ્થાપનાને 60 વર્ષ થઈ રહ્યા હોવાથી રાજ્યના 60 શ્રેષ્ઠીઓનું 'ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ'થી સન્માન કરવામાં આવશે. ‘ડૉ. શૈલેષ ઠાકર ફાઉન્ડેશન’, ‘ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા’,  ‘ગુજરાતી સમાજ ઓફ યુ.એસ.એ.’ દ્વારા સંયુક્ત રીતે કલા, સાહિત્ય, શિક્ષણ અને તબીબી ક્ષેત્રે પ્રદાન કરનારાનું સન્માન કરવા માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 
 
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બિહાર હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ડૉ. જે.એન.ભટ્ટ, પોલીસ મહાનિદેશક શિવાનંદ જ્હા, દ્વારકેશલાલજી મહારાજ તથા કર્નલ કિરીટ જોષીપુરાના હસ્તે આ એવોર્ડ આપવામાં આવશે.  

આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિ અને કેડીલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ, જાણીતા ફિલ્મ-નાટકના કલાકાર સિધ્ધાર્થ રાંદેરિયા, ગઝલકાર મનહર ઉધાસ, નૃત્યાંગના કુમુદીની લાખીયા, સાંઇરામ દવે, તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના કલાકાર નેહા મહેતા તથા એન્ટરપ્રાઈઝિંગ ઇન્ડિયનના યુવા ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાયનું ‘ગુજરાત ગૌરવ રત્ન’ એવોર્ડથી સન્માન કરવામાં આવશે.

ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત થનારી અન્ય હસ્તીઓ
ડૉ. તેજસ પટેલ, વિઠ્ઠલદાસ બી. ઉકાણી, ડૉ. સુધિર શાહ, તન તપાડીઆ, ડૉ. બી.વી.દોશી, હેમુ ગાંધી, ડૉ. અનિલ ગુપ્તા, ઝવેરીલાલ મહેતા, ડૉ. વિષ્ણુ પંડ્યા, નારાયણભાઇ કણજરીયા, શ્રીમતી સ્મિતા શાસ્ત્રી, ડૉ. રૂપેશ વસાણી, રત્ના આલા, ગુરુજી જી. નારાયણા, જીતેન્દ્રસિંગ ચૌહાણ, સંજય ઓઝા, મુખ્તાર શાહ, અરવિંદ વેગડા, બંકિમ પાઠક, પ્રફુલ દવે, ભાગવદ રૂષિ, રાજેન્દ્ર શુક્લ, યોગેશ ભાવસાર, એન.કે.પટેલ, ગીરીશ દાણી, અનુષ્કા પરીખ, ડૉ. રાજીવ શાહ, ડૉ. અલ્કા બેંકર, ડૉ. મનીષ બેંકર.

એવોર્ડ મેળવનારી અન્ય હસ્તીઓ
શરદ ખાંડેકર, સુધિર ખાંડેકર, ભીખુદાન ગઢવી, શાહબુદીન રાઠોડ, ડૉ. ઉર્મન ધ્રુવ, યજ્ઞેશ પંડ્યા, ડૉ. રાજેન્દ્ર શાહ, સુરેશ પટેલ, આશિષ શેઠ, ઉમંગ ઠક્કર, રાજ મોહન મોદી, યોગેશ હીંગોરાની,  ડાહ્યાભાઇ કરુણાશંકર શાસ્ત્રી, ગેનાભાઇ પટેલ, મુક્તા પી. ડગલી, જોરાવરસિંહ ડી. જાદવ, કનુભાઇ ટેલર, ડૉ. રઘુવીર ચૌધરી, યુસુફ કાપડિયા, દેવેન્દ્ર પટેલ, ડૉ. પ્રવિણ દરજી, હરીશ ભીમાણી, માધવ રામાનુજ, રજની જી. પટેલ.

કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા વાઘબકરી ગ્રૂપના ચેરમેન પિયુષ દેસાઈ અને જાણીતા મેનેજમેન્ટ ગુરુ શૈલેષ ઠાકરે જણાવ્યું કે, કાર્યક્રમમાં હાજર રહેરનારા મહાનુભાવોના હસ્તે ડો.શૈલેષ ઠાકર લિખિત 'ઇન્ડિયા એટ ૨૦૫૦' પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. તા.૧ લીમે, ૨૦૧૯ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશનના જે.બી.ઓડિટોરિયમ ખાતે સાંજે ૫-૩૦ વાગ્યે યોજાનારા ૬૦ શ્રેષ્ઠીઓના આ સન્માન સમારંભમાં દેશ-વિદેશના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો ખાસ હાજર રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news