કાશ્મીરમાં રાષ્ટ્ર ધ્વજ કે રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન ગુનો નથી, જાણો આ કારણોસર વિવાદમાં છે કલમ 370 

કહેવાય છે કે આજે સવારે પીએમ નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને થઈ રહેલી કેબિનેટ બેઠકમાં સરકાર જમ્મુ અને કાશ્મીરને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે. એવી ચર્ચા છે કે મોદી કેબિનેટ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ 35એ અને કલમ 370 અંગે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે. કાશ્મીરમાં કલમ 35એ અને 370 ખતમ કરવાની ચારેકોરથી માગણી ઉઠી છે. આવો જાણીએ આખરે આ કલમ 370 અને 35એ પર વિવાદ કેમ છે. 

કાશ્મીરમાં રાષ્ટ્ર ધ્વજ કે રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન ગુનો નથી, જાણો આ કારણોસર વિવાદમાં છે કલમ 370 

નવી દિલ્હી: કહેવાય છે કે આજે સવારે પીએમ નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને થઈ રહેલી કેબિનેટ બેઠકમાં સરકાર જમ્મુ અને કાશ્મીરને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે. એવી ચર્ચા છે કે મોદી કેબિનેટ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ 35એ અને કલમ 370 અંગે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે. કાશ્મીરમાં કલમ 35એ અને 370 ખતમ કરવાની ચારેકોરથી માગણી ઉઠી છે. આવો જાણીએ આખરે આ કલમ 370 અને 35એ પર વિવાદ કેમ છે. 

આ કારણસર છે કલમ 370 વિવાદમાં 

1. જમ્મુ અને કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરિકતા હોય છે, ઝંડો  પણ અલગ હોય છે. 
2. J&Kમાં રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન અપરાધ ગણાતો નથી. 
3. દેશની સુપ્રીમ કોર્ટના તમામ આદેશ જમ્મુ અને કાશ્મીરમાં માન્ય હોતા નથી. 
4. સંસદ જમ્મુ અને કાશ્મીરને લઈને સીમિત ક્ષેત્રમાં જ કાયદો બનાવી શકે છે. 
5. રક્ષા, વિદેશ, સંચારને બાદ કરતા કેન્દ્રના કોઈ કાયદા આ રાજ્યમાં લાગુ થતા નથી. 
6. કેન્દ્રના કાયદાને લાગુ કરવા માટે J&K વિધાનસભાની સહમતી જરૂરી હોય છે. 
7. નાણાકીય ઈમરજન્સી માટે બંધારણની કલમ 360 જમ્મુ અને કાશ્મીરમાં લાગુ હોતી નથી. 
8. કાશ્મીરમાં હિન્દુ-શીખ અલ્પસંખ્યકોને 16% અનામત મળતું નથી. 
9. જમ્મુ અને કાશ્મીરમાં 1976નો શહેરી જમીન કાયદો લાગુ પડતો નથી. 
10. કલમ 370ના કારણે કાશ્મીરમાં RTI અને RTE લાગુ થતા નથી. જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષ નહીં પરંતુ 6 વર્ષનો હોય છે. 

જુઓ LIVE TV

પોઈન્ટમાં જાણો શું છે કલમ 35એ?
1. કલમ 35A રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે 14 મે 1954ને લાગુ કરી.
2. તત્કાલિન સરકારે કલમ 370ની તાકાતનો ઉપયોગ કર્યો હતો. 
3. જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કલમ 35એ, કલમ 370નો ભાગ છે. 
4. રાષ્ટ્રપતિ દ્વારા પાસ થયા બાદ બંધારણમાં તે જોડાઈ હતી. 
5. જમ્મુ અને કાશ્મીરમાં બહારના રાજ્યોના લોકો સંપત્તિ ખરીદી શકતા નથી. 
6. 14 મે 1954ના રોજ રાજ્યમાં રહેતા લોકો જ ત્યાંના નાગરિકો ગણવામાં આવ્યાં. 1954થી 10 વર્ષ અગાઉ રહેતા નાગરિકો પણ રાજ્યના નાગરિકો ગણવામાં આવ્યાં. 
7. જમ્મુ અને કાશ્મીરની છોકરી રાજ્ય બહાર લગ્ન કરે તો રાજ્ય દ્વારા મળતા નાગરિકતા હક ખતમ થઈ જાય છે. લગ્ન કરે તો છોકરીના છોકરાઓને રાજ્યમાં અધિકાર મળતા નથી. 

35એ હટાવવાની માગણી કેમ ઉઠી?

1. આ કલમને સંસદ દ્વારા લાગુ કરાઈ નથી.
2. આ કલમના કારણે ત્યાંના શરણાર્થીઓ અધિકારથી વંચિત છે. 
3. પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને જમ્મુ અને કાશ્મીરની નાગરિકતા નથી મળી. 
4. તેમાં 80 ટકા લોકો પછાત અને દલિત હિન્દુ સમુદાયના લોકો છે. 
5. જમ્મુ અને કાશ્મીરમાં લગ્ન કરનારી મહિલાઓ સાથે ભેદભાવ થાય છે. 
6. ભારતીય નાગરિકોની સાથે જમ્મુ અને કાશ્મીરમાં ભેદભાવ થાય છે. 
7. જમ્મુ અને કાશ્મીરમાં બંધારણ દ્વારા મળેલા અધિકારી ખતમ થઈ જાય છે. 
8. બંધારણ સભાથી સંસદની કાર્યવાહી સુધી બિલનો ઉલ્લેખ નથી. 
9. કલમ 35એ માટે બંધારણ સંશોધન લાવવાનો ઉલ્લેખ સુદ્ધા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news