ગીર : મુસાફરોને મીઠાઈ ખવડાવીને પહેલી જિપ્સી જંગલમાં રવાના કરાઈ, આજથી સિંહદર્શન શરૂ

ગીર અભયારણ્ય (Gir Santuary) આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મૂકાયા છે. ગીરના રાજા એવા સિંહ (Gir Lions)નું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓ (Wildlife) નો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે જથી પ્રવાસીઓ સિંહના દર્શન (Gir Forest) કરી શકશે. નાયબ વન સંરક્ષક ડૉ. મોહન રામે લીલી ઝંડી આપી સફારી જિપ્સીને જંગલમાં રવાના કરી હતી. ત્યારે આ વર્ષની ગીર ટુરના ખાસિયત એ રહેશે કે, આ વખતે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ માટે વન વિભાગ તરફથી પાણીની બોટલ આપવામાં આવશે. 
ગીર : મુસાફરોને મીઠાઈ ખવડાવીને પહેલી જિપ્સી જંગલમાં રવાના કરાઈ, આજથી સિંહદર્શન શરૂ

અમદાવાદ :ગીર અભયારણ્ય (Gir Santuary) આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મૂકાયા છે. ગીરના રાજા એવા સિંહ (Gir Lions)નું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓ (Wildlife) નો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે જથી પ્રવાસીઓ સિંહના દર્શન (Gir Forest) કરી શકશે. નાયબ વન સંરક્ષક ડૉ. મોહન રામે લીલી ઝંડી આપી સફારી જિપ્સીને જંગલમાં રવાના કરી હતી. ત્યારે આ વર્ષની ગીર ટુરના ખાસિયત એ રહેશે કે, આ વખતે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ માટે વન વિભાગ તરફથી પાણીની બોટલ આપવામાં આવશે. 

મીઠાઈ ખવડાવીને પહેલી જિપ્સી રવાના કરાઈ
વહેલી સવારે મુસાફરોને મીઠાઈ ખવડાવીને તથા તેમને પુષ્પ ગુચ્છ આપીને તેમને ગીર જંગલમાં રવાના કરાયા હતા. આ વર્ષે ગીરના જંગલમાં નવી બાબતોનો સમાવેશ કર્યો છે, વેબસાઈટને ફાસ્ટ બનાવી છે. વેબસાઈટ અને ઓનલાઈન બુકિંગને ક્યુઆર કોડથી સજ્જ કરાયા છે. પહેલા જ્યાં પરમીટ ઈશ્યુ કરવા અઢી કલાક લાગતો, તે કામ હવે માત્ર 15 મિનીટમાં થાય છે. શિયાળા અને ઉનાળાના સમયગાળામાં પરિવર્તન કર્યો. શિયાળાનો 16 ઓક્ટોબથી 29 ફેબ્રુઆરી સુધી રહેશે. 6.45થી 9.45 સુધી કરી છે. ઉનાળાનો માર્ચથી 15 જુન સુધીનો રહેશે. સાંજની ટ્રીપનો સમય 4થી 7નો સમય કર્યો છે. આ સમય મુસાફરોનો ફીડબેકના આધારે કર્યો છે. તો બીજી તરફ, પહેલીવાર એન્ટ્રી પાસનું ડિજીટલાઈઝેશન કરાયું છે. જેથી મુસાફરોને લાંબી લાઈનોનો સામનો નહિ કરવો પડે.

ગીરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ
સેન્ચ્યુરીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક કે ફૂડ પેકેટ્સ અંદર લઈ જઈ શકાય નથી, થર્મોઈન્સ્યુલેટેડ પાણીની બોટલ ટુરિસ્ટને ફાળવવામાં આવશે. એક જિપ્સીમાં એક-એક લિટરની બે બોટલ આપવામાં આવશે. જેથી તેમને સફારી ટુરમાં પાણીની તંગી નહિ પડે. આ બોટલ રિયુઝ પણ થશે. દરેક નાકા પર પ્લાસ્ટિક અંગે સઘન ચેકિંગ કરાશે. અહીં પ્લાસ્ટિક રિસાઈકલ યુનિટ પણ મૂક્યું છે. 

ચોમાસા બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી
ચોમાસામાં ભારે અને પૂરતા વરસાદના કારણે નદી-નાળા ઝરણાઓ છલકાઈ ઉઠ્યા છે, જેના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી જોવા મળશે. આ વર્ષે ગીરમાં સારો વરસાદ વરસ્યો છે, જેથી અંદર જનાર ટુરિસ્ટ્સને જંગલની ફીલ સરસ રીતે અનુભવાશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

આ વર્ષે સિંહ બાળ વધુ જોવા મળશે
હવે, દિવાળીનું વકેશન નજીક આવી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ માટે ફરવાનું ગુજરાતનું આકર્ષકના દરવાજા આવતીકાલે ખૂલી જશે. વન વિભાગ દ્વારા મળેલ અપડેટ મુજબ, હાલ ગીરમાં 525 સિંહો છે. ચાર મહિનાના વેકેશનમાં 35 ટકાનો વધારો થયો છે. એટલે કે, પ્રવાસીઓને સિંહ દર્શન સમયે સિંહ બાળ વધુ પ્રમાણમાં જોવા મળશે. ગીર જંગલમાં સિંહ બાળ જોવાનો પણ એક અનેરો લ્હાવો છે. 

ગત વર્ષે પ્રવાસીઓની પરમીટ વધારાઈ હતી
વર્ષોત્તર પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને ગત વર્ષે સરકાર અને વન વિભાગ દ્વારા કેટલાંક ખાસ આકર્ષણ પણ વધારવામાં આવ્યાં હતા. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓને આપવામાં આવતી પરમીટની સંખ્યામાં વધારો કરાયો હતા. અગાઉ રોજની 90ની પરમીટ આપવામાં આવતી હતી. જેમાં હવે 60નો વધારો કરીને રોજની કુલ 180 પરમીટ કરવામાં આવી છે. દરેક જિપ્સીમાં 6 વ્યક્તિ બેસી શકશે. એક પરિવાર દીઠ અંદાજે 2700થી 3000 સુધીનો ચાર્જ રાખવામાં આવ્યો છે. 

કેમ બંધ હોય છે ચાર મહિના ગીર
એશિયાઈ સિંહો માટે દુનિયાભરમાં વિખ્યાત એવું ગીરનું જંગલ ચાર મહિના માટે બંધ કરી દેવાય છે. 15 જૂન થી લઈને 16 ઓક્ટોબર સુધી વનરાજો માટે વેકેશન જાહેર કરાય છે. ચોમાસાની ઋતુ શરુ થાની સાથે જ ગીરનું જંગલ દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે. કારણ કે જંગલના રાજા સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ માટે સંવનન કાળ શરૂ થયો હોવાથી, તેમને કોઈ ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ગીરના દરવાજા બંધ કરી દેવાય છે.તો બીજી તરફ, ચોમાસાની ઋતુમાં વન વિભાગની કામગીરી વધી જાય છે. કારણ કે, ઈન્ફાઇટના કારણે સિંહો અને અન્ય પ્રાણીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે વરસતા વરસાદમાં પણ તેઓને રેસ્ક્યુ કરી બચાવ કામગીરી થાય છે. ચોમાસાના ચાર મહિનામાં વરસાદને કારણે જંગલના રસ્તા બિસ્માર બની જાય છે. તેથી ભારે વરસાદમાં રસ્તાઓને રીપેર કરવા જેવા પડકારો આ ચાર મહિના દરમિયાન કરવા પડે છે. જેથી વેકેશન ખૂલે એટલે મુસાફરોને કોઈ તકલીફ ન થાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news